Chapter : અકીકહ
(Page : 529-530)
સવાલઃ– અકીકાના જાનવરના ગોશ્તનું શું કરવું? હમારો વિચાર ઘરે પકાવી ગામમાં દઅવત આપી ખવડાવવાનો છે અને ગામમાં કાચો ગોશ્ત વહેંચવાનો છે તો તેના કેટલા હિસ્સા કરવા અને ઘરે પકાવી ખવડાવવા વિચાર ન હોય તો કાચો વહેંચી શકીએ?
જવાબઃ– કુરબાનીની જેમ અકીકાના જાનવરના પણ ત્રણ હિસ્સા કરવા મુસ્તહબ છે, એક મુસલમાન ગરીબો માટે એક ત્રીજો ભાગ રિશ્તેદારો માટે અને એક ત્રીજો ભાગ પોતાના માટે, અકીકાનો ગોશ્ત પોતાના ઘરે પકાવીને પણ ખવડાવી શકાય છે અને કાચુ વહેંચી આપવું પણ જાઈઝ છે.
Log in or Register to save this content for later.