[૪૬૧] જયારે અકીકો કરે ત્યારે વાળ બરાબર સદકો

Chapter : અકીકહ

(Page : 527-528)

સવાલ :– શરીઅત મુજબ અકીકાનો શું તરીકો છે, આજકાલ તો છોકરા અથવા છોકરીની પેદાઈશ વખતે બાલ કાપતા નથી, બાલ મોટા થવા દે છે જેને બાબરી કહે છે અને શાદી વખતે અથવા શાદી પહેલાં અકીકા વખતે તે છોકરાના બાલ કાપે છે, તો બચપનથી બાલ રાખવું જાઈઝ છે કે નહિ? અમૂક ભાઈઓ છોકરાના સાતમા દિવસે બાલ કાપી લે છે અને તે બાલને હિફાઝતથી રાખી જયારે અકીકો કરવાનો હોય ત્યારે તે બાલના બરાબર ચાંદી અથવા સોનું ગરીબોને વહેંચે છે.

                અકીકામાં અનેક છોકરા છોકરીઓ હોય તો નિય્યત વખતે મોલ્વી સાહેબ કેવી રીતે બધાના નામ લે, તે તરીકો જણાવશો.

જવાબઃ– અકીકાનો કોઈ અલગ તરીકો નથી. કુરબાનીના જેમ અકીકાની નિય્યતથી જાનવર ઝબહ કરવામાં આવે છે, અકીકામાં પણ દુઆ પઢતી વખતે બધાના નામ લેવા જરૂરી નથી, બલ્કે બચ્ચાઓનો વાલી હોય તે અકીકાની કુબૂલિયતની દુઆ કરે, છોકરાના બાલ બચપનથી પણ રાખી શકાય છે, શર્ત એ કે શરીઅત મુજબ સુન્‍નતી હોવા જોઈએ, અંગ્રેજ ઢબથી ચાલુ ફેશન મુજબ ન હોવા જોઈએ, સાતમા દિવસે કાપેલા વાળ બરાબર સદકો કરે તો પણ પૂરતો છે, બાકી જે દિવસે અકીકો કરવામાં આવે તે દિવસે છોકરાના બધા વાળ કાપી તે બરાબર સદકો કરવામાં આવે એ વધુ બેહતર છે.

Log in or Register to save this content for later.