Chapter : અકીકહ
(Page : 527)
સવાલઃ– (ર) બીજાની કુરબાનીના મોટા જાનવરમાં કોઈ ગરીબ અકીકાનો ભાગ રાખી શકે કે નહિ? સવાલ(ર)ના ખુલાસામાં જણાવવાનું કે એક માણસ પાસે પાડો છે તેના પોતાના છ ભાગ છે, પરંતુ હવે એક ગરીબ માણસ સાતમો ભાગ લઈ અકીકાની નિય્યત રાખે છે તો કુરબાની અદા થશે કે નહિ?
જવાબ :– બીજાના કુરબાની માટે ખરીદ કરેલા જાનવરમાં ગરીબ માણસ પોતાનો અકીકાનો ભાગ રાખી શકે છે, અને જયારે જાનવર ખરીદનારે પહેલેથી છ ભાગ જ પોતાની કુરબાની માટે નક્કી કર્યા છે અને સાતમો ભાગ કોઈને વેચી ભાગીદાર બનાવવાની નિય્યત કરી છે તો અકીકા માટે સાતમો ભાગ બીજાને વેચી ભાગીદાર બનાવવામાં કોઈ કરાહત પણ નથી. કુરબાની અદા થઈ જશે. (શામી–પ/ર૦૭)
Log in or Register to save this content for later.