Chapter : કુરબાની
(Page : 499)
સવાલ :– એક માણસે કુરબાનીની નિય્યતે જાનવર રાખ્યું, પરંતુ હજ પઢવા જવાથી તે જાનવર વેચી દીધું, કારણ કે હજમાં કુરબાની હોય છે, ત્યાં જઈ એ ભાઈ કુરબાની કરશે. તો આ પ્રમાણે કરી શકાય ? અગર હા, તો ઠીક, પરંતુ જો ન થઈ શકતુ હોય તો હવે શું કરવું ?
જવાબ :– માલદાર માણસ હજ પઢવા જાય અને કુરબાનીના દિવસોમાં શરઈ દ્રષ્ટિએ મુસાફિર રહે તો ઈદની કુરબાની તેના ઉપર વાજિબ રહેતી નથી અને તેણે વાજિબ કુરબાની માટે ખરીદેલું જાનવર વેચી શકાય છે, પરંતુ અફઝલ અને બેહતર આ છે કે તે જાનવરની કુરબાની કરવામાં આવે અને તેને વેચવામાં ન આવે. (શામી–પ)
Log in or Register to save this content for later.