[૪૪૪] દુઆમાં બધા ભાગીદારોના નામ લેવા

Chapter : કુરબાની

(Page : 497)

સવાલઃ– એક મુસ્લિમ ભાઈએ સાત હિસ્સામાં એક ગાય અથવા પાડાની કુરબાની કરી. હવે સાત હિસ્સામાં મર્દ અને ઓરતો ભેગી છે તો શું મોલ્વી સાહેબ હવે નિય્યત કરતી વખતે દરેકનું નામ લે તો નામ બોલતી વખતે ઘણી ગુચવણ ઉભી થાય છે, હવે મોલ્વી સાહેબ એક કાગળમાં સાત નામ લખી નિય્યત વખતે દુઆ પઢી જયાં નામ લેવાનુ આવે ત્યાં સાત વ્યકિતઓના નામો આ પ્રમાણે લે છે, યૂસુફ, મૈમૂના, મદીનહ… પછી બાકીની દુઆ જોરથી પઢે છે, તો શું આ રીતે કુરબાની થશે કે નહિ? સહીહ નિય્યત કરવાની અને નિય્યતમાં સહીહ રીતે નામો બોલવાની તરતીબ બતાવશો.

જવાબઃ– કુરબાનીમાં જે મર્દો અને ઓરતોનો ભાગ છે તેઓની નિય્યત કાફી છે, પૂરતી છે. મોલ્વી સાહેબે નિય્યત કરવી અને દરેકના નામ લેવા જરૂરી નથી. અને બેહતર એ જ છે કે જે લોકોની કુરબાની હોય તેઓ જ નિય્યત અને દુઆ કરે અને કુરબાની ઝબહ કરતી વખતે ત્યાં મવજૂદ રહે. દુઆ આ પ્રમાણે ટુંકમાં પણ કરી શકાય છે કે ‘અન જમીઈશ્શુરકાઈ’ (કે હે અલ્લાહ તઆલા બધા ભાગીદારો તરફથી કબૂલ ફરમાવ)         (શામી ભાઃપ)

Log in or Register to save this content for later.