Chapter : કુરબાની
(Page : 494 to 497)
સવાલ :– કોઈ માણસે પોતાની કુરબાનીનું ચામડું વેચ્યું. નક્કી કરેલ કિંમતે ચામડું રાખનાર ચામડું લઈ ગયો, પણ ચામડાના માલિકને રકમ આપી નથી. ત્યાર પહેલાં ચામડાના માલિકે ચામડાંની કિંમતના જેટલા પૈસા થયા છે એટલા પૈસા પોતાના ગજવામાંથી એવી નિય્યતે ખૈરાત કરી દીધા કે વેચેલા ચામડાંના પૈસા આવશે તે હું લઈ લઈશ, તો આ રીતે ખૈરાત કરેલા પૈસા ચામડાની ઉપજ પેટે ખૈરાત કરેલા ગણાશે કે પછી જયારે ચામડું રાખનાર એ માલિકને પૈસા આપશે ત્યારે ફરી ખૈરાત કરવા પડશે અને પહેલા ખૈરાત કેરલા પૈસા નફલ ગણાશે?
જવાબઃ – પ્રથમ ફિકહની મુઅતબર કિતાબોની આ ઈબારતો વાંચવામાં આવે :
)۱) (فان بیع اللحم أو الجلد بہ) ای بمستھلک (أو بدراھم تصدق بثمنہ) قولہ (تصدق بثمنہ) أی وبالدراھم فیما لوابد لہ بھا (در مختار مع الشامی ص:۲۰۹ ج:۵) ولو باعھا بالدراھم لیتصدق بھا جاز لأنہ قربۃ کالتصدق (عالمگیری ص:۳۰۱ ج:۵(
)۲(وجاز دفع القیمۃ فی زکاۃ وعشر وخراج وفطرۃ ونذر (در مختار) (قولہ وجاز دفع القیمۃ) أی ولو مع وجود المنصوص علیہ معراج (قولہ ونذر) کان نذر یتصدق بھذا الدینار فتصدق بقدرہ دراھم أو بھذا الخبز فتصدق بقیمتہ جاز عندنا کذا فی فتح القدیر (شامی ص:۲۲ جلد دوم(
)۳(وتتعین فی الأمانات والھبۃ والصدقۃ والشرکۃ والمضاربۃ والغصب وتمامہ فی جامع المصولین (شامی ص:۱۲۹ ج:چہارم(
)۴(ولو تصدق بدراھم نفسہ اجزأ ان کان علی نیۃ الرجوع وکانتدراھم المؤکل قائمۃ (قولہ ولو تصدق) أی الوکیل بدفع الزکاۃ اذا امسک دراھم الموکل ودفع من مالہ لیرجع ببدلھا فی دراھم المؤکل صح (شامی ص:۱۲ ج:۲(
)۵(واعلم ان اداء الدین عن الدین والعین عن العین وعن الدین یجوز (در مختار ص:۱۲ علی الشامی جلد دوم(
(٦)ولا فی ھالک بعد وجوبھا لتعلقھا بالعین لا بالذمۃ (قولہ لتعلقھا بالعین لان الواجب جزء من النصاب فیسقط بھلاک محلہ کدفع العبد بالجنایۃ یسقط لھلاکہ ھدایہ (الدر مع الشامی ص:۲۰ دوم)
પહેલી ઈબારતથી એ મસ્અલો સાબિત થયો કે જો ચામડું વેચવામાં આવે તો તેના બદલામાં જે ચીજ મળી છે તેનો સદકો કરવામાં આવે અને ત્રીજી ઈબારતમાં છે કે અમાનત હદિયો અને સદકા વગેરેમાં પૈસા નકકી થઈ જાય છે માટે આ ઈબારતોથી પૂછેલા મસ્અલાનો હુકમ એ સાબિત થાય છે કે કિંમત પેટે ચામડાના ખરીદાર પાસેથી જે રકમ આવે તેનો સદકો કરવો જોઈએ, પરંતુ જો કોઈએ પોતાની પાસેના પૈસા ખરીદાર પાસેથી વસૂલ થતાં પહેલાં ચામડાની કિંમત પેટે સદકો કરી આપ્યા તો ખરીદાર પાસેથી મળેલી રકમ પોતાની પાસે રાખવાની ગુંજાઈશ છે, કારણ કે બીજી ઈબારતમાં છે કે કોઈએ નક્કી પૈસાની મન્નત માની અને તે પૈસાને બદલે કોઈ માલ અથવા બીજા પૈસા આપ્યા તો પણ જાઈઝ છે. એવી જ રીતે ઝકાત દેનારના નાયબે દેનારના પૈસા વતી પોતાની પાસેથી એ નિય્યતથી આપ્યા કે હું દેનારના પૈસામાંથી લઈ લઈશ તો જાઈઝ છે અને પાંચમી છઠ્ઠી ઈબારતમાં મસ્અલો છે કે કોઈ માલદારના પૈસા અથવા બીજો કોઈ ઝકાતનો માલ કોઈના શિરે લેણા હતા, એણે દેવું વસૂલ થતાં પહેલાં પોતાની પાસેથી ઝકાત આપી દીધી તો ઝકાત અદા થઈ જશે, હાલાંકે ઝકાતમાં ઝકાતના માલનો એક ભાગ વાજિબ થાય છે, એટલા જ માટે અગર વર્ષ પૂરું થયા બાદ જો કોઈ કારણથી ઝકાતનો માલ બરબાદ થઈ ગયો તો ઝકાત પણ માફ થઈ જશે, માટે બેહતર એ છે કે જે રકમ કિંમતની મળે તે આપે, પણ જો પેહલેથી એ નિય્યતે આપી દીધા તો પણ કિંમત પેટે અદા થઈ જશે.
Log in or Register to save this content for later.