Chapter : કુરબાની
(Page : 491-492)
સવાલ :– એક માણસે પોતાની માલિકીની કોઈ એવી વસ્તુ વેચી જે વેપાર અને વેચવા માટે ન હતી અને તેની કિંમત ઉધાર છે અને તે તેની ઝકાતના નિસાબથી વધારે છે અને તેની પાસે મજકૂર ઉધાર કિંમત સિવાય માલદારીની નિસાબપાત્ર વસ્તુઓમાંથી અન્ય કોઈ વસ્તુ નથી. તો મજકૂર માણસ ઉપર કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ છે કે નહિ? અને તે માણસે ઝકાત લેવી જાઈઝ છે કે નહિ?
જવાબ :– પૂછેલી સૂરતમાં જો ઉધાર કિંમતની મુદ્દત નકકી હોય તો તે મુદ્દત પૂરી થતાં સુધી મજકૂર માણસ ઉપર કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ નહિ થાય અને તે મુદ્દત પૂરી થતાં સુધી તે માણસ પોતાની જરૂરતના પ્રમાણમાં ઝકાત પણ લઈ શકે છે. એવી જ રીતે જો ગેર મુદ્દતી ઉધાર હોય, પરંતુ દેવાદાર ગરીબ હોય, હાલ દેવું આપવાની સ્થિતિમાં ન હોય, અથવા દેવાદાર માલદાર હોય, પરંતુ હાલ બાકી રકમની માંગણી કરતાં આપે તેમ ન હોય તો મજકૂર સામાન વેચનાર ઉપર કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ નહિ ગણાય અને તેના માટે પોતાની જરૂરતના પ્રમાણમાં ઝકાત લેવી પણ જાઈઝ છે અને જો ગેર મુદ્દતી કિંમત બાકી હોય અને દેવાદાર દેવું સ્વીકારનાર માલદાર માણસ હોય અને દેવાની માંગણી કરતાં દેવું આપી દે એવો માણસ હોય તો તેની ઉપર કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ છે અને તેના માટે ઝકાત લેવી જાઈઝ નથી. (બહર –ર/ર૪૦, બદાઈઅ–૪/૧૯૬)
Log in or Register to save this content for later.