Chapter : કુરબાની
(Page : 498-499)
સવાલઃ– અમારા એક ભાઈએ ”વાસ્તે અલ્લાહ કહી” ચાંદશાહ બાપુ પીરની દરગાહ પર જઈ ”પોતાને જો પુત્ર થશે તો આ માનતા કરવી કે તેમની દરગાહ પર જઈ બે બકરા ઝબહ કરીશ અને રિશ્તેદારોની દઅવત કરીશ, બાદમાં હાલમાં તે ભાઈને બાબલો પાંચ વર્ષનો થઈ ગયેલ છે અને તેમને હાલમાં તે બાબતે અમારો મશ્વેરો લેતા અમે કહેલ કે આ મન્નત કરવી અને તે બાબતે આપને લખેલ છે તો જાઈઝ છે કે કેમ? તો તે બાબતે ઈસ્લામી શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે કે કેમ? અને જો તે મન્નત ન કરવી હોય તો તે બાબતે શું કરવું જોઈએ અને તેનાં બદલામાં અલ્લાહના રસ્તામાં કે મસ્જિદ મદ્રસામાં તે બકરાઓના ખર્ચ જે દઅવતમાં થાય તેટલો કોઈ મસ્જિદ મદ્રસામાં તે રૂપિયા આપવા કે નહિ? અને તે બાબતે ઈસ્લામી શરઈ દ્રષ્ટિએ જવાબ આપશો.
જવાબઃ– દરગાહ ઉપર બકરા ઝબહ કરી રીશ્તેદારોને દઅવત ખવડાવવાની મન્નત માનવી દુરસ્ત અને જાઈઝ નથી.
છોકરાની પૈદાઈશ ઉપર હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો બતાવેલો મુબારક અને સુન્નત તરીકો એ છે કે છોકરાનો અકીકહ કરવામાં આવે માટે મજકૂર માણસે પોતાના ઘર ઉપર બે કુરબાની લાયક બકરા અકીકહની નિય્યતથી ઝબહ કરી દોસ્તો,રિશ્તેદારો અને ગરીબોની દઅવત કરવી જોઈએ, તેમાં ઘણી બરકત છે, દરગાહ બકરા ઝબહ કરવાની અને દઅવતની જગ્યા નથી તે તો ઈબ્રત અને ઈસાલે સવાબની જગ્યા છે. હદીસ અને ફિકહની કોઈ કિતાબમાં દરગાહ ઉપર બકરા ઝબહ કરવાનો અને દઅવત કરવાનો સબૂત નથી.
Log in or Register to save this content for later.