Chapter : કુરબાની
(Page : 489-490)
સવાલ :– કુરબાનીના જાનવરને રાત્રે ઝબહ કરવું કેવું છે ? કુરબાનીના જાનવર વગર બીજા દિવસોમાં અકીકહ વગેરેના જાનવરને રાતે ઝબહ કરવું કેવું છે અને શરીઅત વિરૂધ્ધ કયા દરજામાં છે ?
જવાબ :– કુરબાની, અકીકહ અને અન્ય કોઈ પણ પ્રકારના જાનવરને રાતે ઝબહ કરવા બાબત એક હદીસના આધારે ફુકહાએ કિરામે જાઈઝ અને ગેર અફઝલ તથા મકરૂહે તનઝીહી લખ્યું છે અને તેનું કારણ એ બતાવ્યું છે કે શકય એ કે અંધારાના કારણે ઝબહ કરનારના હાથ–પગ વગેરેને કોઈ ક્ષતિ પહોંચે અથવા અંધારાના લઈ ઝબહમાં ગલતી થઈ જાય અને જાનવરની જે નસો કપાવવી જોઈએ તે ન કપાય, પરંતુ જો કોઈ કારણસર રાતના ઝબહ કરવું પડે અને આજકાલ લાઈટની પૂરી વ્યવસ્થા કરવાથી અંધારાનું કારણ બાકી ન રહે એ પ્રમાણે ઝબહ કરવામાં આવે તો નુકસાન અને ગલતીનો ભય ન રહેવાથી અને આસાની સાથે ઝબહ કરવાની પૂરી શકયતા હોવાથી રાતે ઝબહ કરવાની ગુંજાઈશ છે. અલબત્ત, કોઈ કારણ વગર રાતે ઝબહ કરી જાનવરના આરામમાં ખલલ ન નાખવો જોઈએ. (શામી–પ/ર૦૩, બદાઈઅ–૪/૧૮૮)
Log in or Register to save this content for later.