[૪૩૭] કુરબાની માટે જમા કરેલ રકમથી કર્ઝ અદા કરવું

Chapter : કુરબાની

(Page : 487-488)

સવાલ : – એક માણસે કુરબાની કરવાની નિય્યતથી રકમ જમા કરી હતી, પરંતુ અમૂક સંજોગોના કારણે તે માણસ દેવાદાર થઈ ગયો અને કુરબાની માટે જમા કરેલ રકમથી દેવું ભરપાઈ કરી દીધું, હજુ પણ થોડુ દેવુ બાકી રહી ગયું છે. તો મજકૂર માણસ ઉપર કુરબાનીના દિવસોમાં કુરબાની કરવી વાજિબ છે કે નહિ?

જવાબ :– જો મજકૂર માણસ પાસે સોનું, ચાંદી, વેપારનો માલ, જરૂરતથી વધારે કોઈ માલ–સામાન એટલા પ્રમાણમાં ન હોય કે તેમાંથી તેમનું બાકી રહેલ કર્ઝ બાદ કરવામાં આવે તો છસ્સો બાર ગ્રામ ચાંદીની કિંમત બરાબર બાકી રહે અથવા રોકડ રકમની જેમ તેની પાસે મજકૂર વસ્તુઓમાંથી પણ કોઈ વસ્તુ બિલ્કુલ જ ન હોય તો આવા માણસ ઉપર કુરબાની વાજિબ નથી અને કુરબાની કરવાની નિય્યતથી જમા કરેલ રકમ કર્ઝ અદા કરવામાં વાપરવી જાઇઝ ગણાશે અને કુરબાનીની નિય્યતથી માત્ર રકમ જમા કરવાથી કુરબાની વાજિબ થયેલી નહિં ગણાય, હા, જો મોઢેથી બોલી કુરબાની કરવાની મન્‍નત માની હોય તો ગરીબ હોવા છતાં કુરબાની કરવી વાજિબ ગણાશે. (શામી – પ)

Log in or Register to save this content for later.