Chapter : કુરબાની
(Page : 486-487)
સવાલ :– ઉર્દૂ ભાષાના જાણકાર એક જાહિલ માણસે ઈદુલ અઝહાની ફઝીલત આ પ્રમાણે બયાન કરી કે જે માણસ કુરબાની કરવા શકિતમાન ન હોય તેના માટે હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે ઈદની નમાઝ પછી ઘરે જઈને બે રકઅત નફલ નમાઝ પઢી લે તો તેને કુરબાનીનો સવાબ મળશે? શું આ વાત સત્ય અને બરાબર છે ?
જવાબ :– આ પ્રકારના એક સવાલના જવાબમાં ફકીહુલ ઉમ્મત હઝરત મવ. મુફતી મહમૂદ હસન ગંગોહી (નવ્વરલ્લાહુ મરકદહુ) એ લખ્યું છે કે ”આ પ્રમાણે બે રકઅત પઢવાથી કુરબાનીનો સવાબ મળવાનું વર્ણન મેં કોઈ કિતાબમાં જોયું નથી.” માટે મજકૂર ફઝીલત હદીસથી સાબિત માનવી અને કુરબાનીના બદલે બે રકઅત નફલ નમાઝ પઢવી દુરસ્ત નથી. (ફ.મહમુદિય્યહ ૩ર૬ ભા.૪)
Log in or Register to save this content for later.