Chapter : કુરબાની
(Page : 471-472)
સવાલ :– એક માણસ પર કુરબાની વાજિબ છે અને તે એવી જગ્યાએ રહે છે જયાં આખુ જાનવર વેચાતુ મળતુ નથી શરીઅતના તરીકા મુજબ ઝબહ કરેલા જાનવરનો ગોશ્ત મળી શકે છે તો આખા જાનવરને બદલે ગોશ્ત ખરીદી વહેંચી આપે તો કુરબાની સહીહ થઈ જશે કે નહિ ?
જવાબ :– કુરબાની કરવાનો અર્થ આ છે કે કોઈ કુરબાની લાયક જાનવર કુરબાનીના દિવસોમાં કુરબાનીની નિય્યતથી પોતે ઝબહ કરવું કે બીજા પાસે કરાવવું. માટે કોઈ વ્યકિત કુરબાનીના દિવસોમાં સવાલમાં લખવા મુજબ ગોશ્ત ખરીદ કરી સદકો કરી આપશે તો તેની કુરબાની અદા થશે નહિ. ચાહે તે જાનવર શરીઅતના તરીકા મુજબ એટલે બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર પઢી કોઈ મુસલમાને ઝબહ કર્યું હોય. (દુર્રે. મુખ્તાર શામી ૧૯૮ભા.પ)
જો પોતાના રહેઠાણની જગ્યાએ આખું જાનવર ન મળતું હોય તો બીજી જગ્યાએ જઈ ખરીદ કરવું અથવા જયાં જાનવર મળી શકતું હોય તો ત્યાં પોતાની કુરબાનીનું જાનવર ખરીદ કરવા અને ઝબહ કરવા માટે કોઈ બીજાને પોતાનો નાયબ (વકીલ) બનાવી આપવો જરૂરી છે.
ઈઝા લમ્ યજિદ ઉઝહિય્યતન્ ફી બલદિહિ અવ્ કર્યતિહિ યલઝમુહુલ્ મશ્યુ લિતલબિહા……. (આલમગીરી ૩૦૮ભા.પ)
Log in or Register to save this content for later.