Chapter : કુરબાની
(Page : 471)
સવાલ :– પોતાની એક નફલ કુુરબાનીમાંથી કેટલા મર્હૂમોને સવાબ પહોંચાડી શકાય ? કેટલાકનું કહેવું છે કે બકરાની એક નફલ કુરબાનીમાંથી બે કે ત્રણ મર્હૂમોને સવાબ પહોંચાડી શકાય, શું એ ખરું છે ? પોતાની વાજિબ કુરબાની સિવાય પોતાના તરફથી એક નફલ કુરબાની કરે તો તે નફલનો સવાબ પોતાના દરેક મર્હૂમ સગા– વહાલાઓને પહોંચાડી શકાય કે નહિ?
જવાબ :– પોતાની નફલ કુરબાનીનો સવાબ પોતાના દરેક મર્હૂમ સગાવહાલાને અને બીજા જેટલા મર્હૂમોને પહોંચાડવા ચાહે પહોંચાડી શકે છે, બલ્કે અફઝલ છે કે બધાજ મુસલમાન મર્દ અને ઔરતોને સવાબ પહોંચાડવાની નિય્યત કરે. કારણ કે દરેકને સવાબ પહોંચશે અને કુરબાની કરનારના સવાબમાં કોઈ કમી ન થશે. હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ એક કુરબાની પોતાના માટે અને બીજી કુરબાની પૂરી ઉમ્મતના ઈસાલે સવાબ માટે કરી હતી.
(બદાઈઅ ૭૦ ભા.પ, શામી ૬૦પ ભા.૧)
Log in or Register to save this content for later.