[૪પ૮] અકીકાથી શાદીની દઅવત

Chapter : અકીકહ

(Page : 526)

સવાલઃ– મારી દીકરીની શાદી ઈજતેમામાં કરવાની છે અને તેની મહેમાની બીજા દિવસે કરવાની છે, તો મહેમાની સાથે દીકરાનો અકીકો ભેગો થઈ શકે કે કેમ? જો થઈ શકે તો કેટલા બકરા જોઈએ? તેનો ખુલાસો લખશો, બીજું હું પોતે સઉદી અરબિય્યહમાં સિલાઈ કામ પર છું, હજ પઢી અઢી વર્ષે વતનમાં આવ્યો છું તો મારી ઈચ્છા મહેમાની કરવાની છે તો એકી સાથે શાદીની મહેમાની, અકીકો અને હજની મહેમાની થાય કે કેમ?

જવાબઃ– છોકરાના અકીકા માટે બે બકરા જે ઉમર અને તંદુરસ્તીની દ્રષ્ટિએ કુરબાની લાયક હોય, અકીકાની નિય્યતથી કુરબાનીના જાનવરની જેમ દુઆ વગેરે પઢી ઝબહ કરવા મુસ્તહબ છે અને અકીકાના જાનવરોનો ગોશ્ત પકાવી શાદી પ્રસંગે અને પોતે લાંબી મુદ્દત પછી હજ કરી વતન પાછા ફરવાથી મુલાકાત માટે આવનારા મહેમાનો અને સગા સંબંધીઓ અને ગરીબોની દઅવત કરવામાં આવે એ જાઈઝ છે.  (આલમગીરી – પ/૩૪૩,  રિસાલએ અકીકહ માલાબુદ્દ મીન્હુ સાથે)

Log in or Register to save this content for later.