Chapter : કુરબાની
(Page : 506-507-508)
સવાલ :– એક સંસ્થા છે, જેમાં હોસ્પિટલ, ગરીબોને મદદ કરવી, યતીમોને ભણવા – પઢવાનું કામ ચાલુ છે, સંસ્થાના પૈસાથી કુરબાનીનું આયોજન કરી શકાય કે કેમ? કુરબાનીના જાનવરની કિંમતનો હિસ્સો જે જાનવરની કિંમત પ્રમાણે કરવો મુશ્કેલ છે, માટે આસરે એક ભાગની કિમંત જાહેર કરવામાં આવે છે, હવે જાનવરની કિંમત જો ઓછી થાય તો વધેલા રૂપિયાનું શું આયોજન કરી શકાય?
યાદ રહે કે કુરબાનીની રકમ મોટે ભાગે લંડનના લોકો તરફથી આવે છે? હું પોતે મારા પૈસાથી જાનવર ખરીદું અને લંડનથી આવનાર કુરબાનીની રકમનો વકીલ બની કુરબાનીનું આયોજન કરી શકુ કે નહિ?
ટ્રસ્ટનો એક માણસ પોતાના પૈસાથી જાનવર ખરીદે છે અને નિશ્ચિત રકમ નકકી કરે છે અને ટ્રસ્ટનો બીજો માણસ કુરબાનીનો વકીલ બને છે આ રીતથી વકીલ બનનારને વધેલી રકમ પાછી આપવાની થાય કે નહિ?
ટ્રસ્ટનો જે માણસ જાનવર ખરીદે છે તે પોતાના જ પૈસાનો ઉપયોગ કરે છે પછી કિંમત નકકી કરી વેચે છે, મતલબ કે પોતે જ જાનવરોનો માલિક હોય છે અને આ જાનવર ખરીદનાર માણસ પ્રામાણિકપણે જે નફો થાય છે તે સંસ્થામાં જમા કરાવે છે.
આ પધ્ધતિ છે તે શરીઅત પ્રમાણે બરાબર છે કે કેમ? બીજી કોઈ પધ્ધતિ હોય તો જણાવશો.
જવાબ :– સંસ્થાની રકમથી કુરબાનીનું આયોજન એ પ્રમાણે કરવું કે સંસ્થા કુરબાનીના જાનવરો ખરીદે અને કુરબાની કરાવનારનો વકીલ સંસ્થા પાસેથી જાનવર કે જાનવરનો ભાગ ખરીદે એ જાઈઝ છે.
ભાગની અંદાજિત કિંમત બતાવ્યા પછી ખરીદારી વખતે વધતી રકમ ભાગના માલિકને પરત કરવી ઝરૂરી છે, અલબત્ત, પહેલેથી એ વાતની મંજુરી લઈ લેવામાં આવે કે વધેલી રકમ સંસ્થાના કામ માટે લિલ્લાહ પેટે જમા લેવામાં આવશે, તો મંજૂરી લઈ એ પ્રમાણે કરવું જાઈઝ છે. (શામી–૪)
પોતાની રકમથી જાનવરો ખરીદવા અને કુરબાની કરાવનારનો વકીલ બની તેને વેચવા એ પ્રમાણે એક જ માણસ વેચનાર અને ખરીદી વકીલ બને એ જાઈઝ નથી. અલબત્ત, બીજો માણસ વકીલ બની ખરીદે અને વકીલરૂપે કુરબાની કરે એ જાઈઝ છે, પરંતુ વધેલી રકમનો હુકમ ઉપર મુજબ રહેશે.
જાનવરો ખરીદી તેને નફો લઈને વેચનાર માણસ પોતાનો નફો સંસ્થામાં જમા કરાવે એ જાઈઝ છે, તેને લિલ્લાહ રકમ આપવાનો સવાબ મળશે. બસ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે જાનવરો ખરીદનાર અને કુરબાની ખરીદનાર વકીલ બન્નવ અલગ અલગ માણસ હોવા જોઈએ અને વધારાની રકમ સંસ્થામાં આપવાની પહેલેથી મંજૂરી લેવી જોઈએ, નહિ તો રકમના માલિકને પરત કરવી ઝરૂરી છે. (શામી – ૪)
Log in or Register to save this content for later.