[૪પ૦] કર્ઝદાર નોકરિયાત જેનો વધુ પડતો ફંડ ખાતામાં જમા હોય

Chapter : કુરબાની

(Page : 502-503)

સવાલ :–  હું સૂરતમાં કંડકટરની નોકરી કરું છું, સાડા સાત હઝાર પગાર છે, મને એકિસડન્ટને લઈ ગુટખો ભાગી જવાથી ઓપરેશન કર્યુ છે, મતલબ કે છ મહિનાથી ઘેર હતો, એટલે પગાર ના આવવાથી દવાના ખર્ચ માટે મેં મારી ઔરત અને છોકરાની વહુની બધી જણસો છ મહિનાથી બાર હઝારમાં મૂકેલી છે, પૈસા ન હોવાથી હજુ સુધી મે છોડાવી નથી. મારો કહેવાનો મતલબ એ કે ઉપરોકત હકીકત માટે મારી તથા ઔરતની અને બે છોકરા અને તેમની વહુઓની કુરબાની કરવી પડશે?

                પગારમાંથી મેં દવાના ખર્ચ માટે પાંત્રીસ હઝાર ઉઠાવ્યા હતા એટલે હવે ત્રણસો રૂપિયા પગાર આવે છે તેમાંથી ઘર ખર્ચ નીકળે છે, મારો એસ.ટી.માં ૧,૭૦,૦૦૦/– ફંડ જમા છે. એટલે મારે કુરબાની કરવી પડશે. મારા માથે બીજુ દસ હઝાર રૂપિયા કર્ઝ છે. હવે કુરબાનીના થોડા દિવસો બાકી છે, માટે કેટલા હિસ્સાની કુરબાની કરવી પડશે ?

જવાબ :– તમારા ઉપર તો કુરબાની વાજિબ નથી, કારણ કે તમારી પાસે કુરબાનીના નિસાબ મુજબ કોઈ રોકડ સોનું ચાંદી કે વધારાની વસ્તુ નથી અને તમારા જમા ફંડથી તમો માલદાર નહિ ગણાય, રહી તમારી ઔરત અને બે વહુઓની જો તે દરેકની અંગત હાલત માલદાર હોવાની હોય એટલે કે સાડા સાત તોલા સોનું અથવા સાડા બાવન તોલા ચાંદી અથવા એટલી ચાંદી કિંમત બરાબર વધારાની વસ્તુઓ અથવા વેપારનો માલ અથવા રોકડ રૂપિયા અથવા આ પાંચ વસ્તુઓમાંથી બે કે તેથી વધુ વસ્તુઓ મળી સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર હોય તો તેની ઉપર કુરબાની વાજિબ ગણાશે. અને આ નિસાબમાં તમોએ આપેલું સોનું પણ ગણાશે. વધુ વિગત તમારા ગામના મોલ્વી સાહેબથી સમજી લેશો.       (શામી–ર/પ)

Log in or Register to save this content for later.