Chapter : કુરબાની
(Page : 504-505)
સવાલ :– (ર) ઉપરોકત મસ્અલો જાણતા પહેલાં કુરબાનીનું જાનવર ખરીદી લીધું છે જેની કિંમત ચાર હઝાર રૂપિયા નકકી કરી છે. અને મજકૂર જાનવરની કિંમતમાં રૂપિયા ૧૯૦૦/– યુ.કે.થી બહેને મોકલાવ્યા છે, બાકી રહેતા ર૧૦૦/– મેં પોતે ઉછીના ઉમેરયા છે. જે ઘાસ વેચીને વસૂલ કરવાની શર્તે અને હાલ જાનવરને પંદર દિવસથી હજુ પછી કુરબાનીના બાકી રહેતા દિવસોનો ઘાસ – ચારાની વ્યવસ્થા પણ હું પોતે જ કરું છું તો શું આ બધી રકમમાં તેમજ ઘાસચારાની કિંમતમાં બધાએ હિસ્સા પ્રમાણે રકમ આપવી પડશે કે કેમ તે જણાવશો.
જવાબ :– (ર) લગભગ અડધુ જાનવર બહેનનું ગણાશે, બાકી અડધુ તમે ભાઈઓમાંથી જેની સંમંતિ અને રજાથી ખરીદયું હોય તેમનું ગણાશે, બધાની મરજી મુજબ વધુથીવધુ સાત વ્યકિતઓના ભાગ રાખી શકાશે, ચાહે તે વ્યકિત મૃત હોય કે જીવંત. વાજિબ કુરબાની વાળાએ પોતાની વાજિબ કુરબાનીની ફિકર કરવી જોઈએ. (શામી–પ)
Log in or Register to save this content for later.