[૪૦૮] કુરબાનીના ચામડાંને મસ્જિદના પગાર તથા વાસણો ખરીદવા વાપરવા

Chapter : કુરબાની

(Page : 459-460)

સવાલઃ– અમારા ગામમાં કુરબાનીની ખાલો મસ્જિદ ખાતે લે છે અને તે રકમનો ઉપયોગ ઈમામ અને મુદર્રિસના પગાર અથવા પંચના વાસણો લાવવામાં કરે છે અને વાસણોનું જે ભાડુ આવે છે તે મસ્જિદના કોઈ પણ કાર્યમાં ઉપયોગ કરે છે તો શું ખાલોની રકમનો ઉપયોગ ઉપરોકત કાર્યોમાં જાઈઝ છે અને લેવું કેવું છે? કે પછી હકદારને માલિક બનાવવો જરૂરી છે?

જવાબઃ– કુરબાનીની ખાલોની કિંમતનો ઉપયોગ ઈમામ અને મુદર્રિસના પગારમાં અને વાસણો ખરીદવામાં કરવો જાઈઝ નથી. મજકૂર ખાલોની કિંમતનો હીલો કરીને મસ્જિદ – મદ્રસાના કામોમાં તેનો ઉપયોગ કરવો જાઈઝ છે, કોઈ ગરીબ, ઝકાતના હકદાર મુસલમાનને માલિકી ધોરણે તે કિમંત આપવામાં આવે અને તે રાજી ખૂશીથી મસ્જિદ કે મદ્રસામાં લિલ્લાહ રકમ આપે તો જાઈઝ છે. (જ.ફિકહ–૧)

Log in or Register to save this content for later.