Chapter : કુરબાની
(Page : 437)
સવાલ :– અમોએ એક કમિટી બનાવી છે, જે ગામમાંથી કુરબાનીના ચામડાં ભેગા કરી, તેને હરાજી પધ્ધતિથી વેપારીઓને વેચે છે અને તેની કિંમત હકદાર, ગરીબ અને જરૂરતમંદોને વહેંચે છે, ચામડાંની આવેલી કિંમતમાંથી ચામડાં ભેગા કરવાની મજૂરી અને હરાજીની બોલી વગેરેની રકમ ચૂકવવામાં આવે છે, તો આ રીતે ચામડાની રકમમાંથી ચામડા ભેગા કરવાની તથા તેનો નિકાલ કરવાની વ્યવસ્થાનો ખર્ચ આપી શકાય કે નહિ ? મજકૂર કમિટી ગામમાં સાફ – સફાઈ રહે અને કુરબાનીના જાનવરોની ફાઝલ વસ્તુઓ જેમકે હોજરી, શિંગડાં, હાડકાં વગેરે ગમે ત્યાં પડી રહેવાથી કે ફેંકી દેવાથી ગંદકી ન ફેલાય એ હેતુથી એક જગ્યાએ દફન કરવા માટે ઉંડો ખાડો ખોદી તેમાં દાટી દેવાની વ્યવસ્થા પણ કરે છે, તો ખાડો ખોદવાનો અને કુરબાનીના દિવસો પછી તેમાં માટી નાખી ભરી આપવાનો મજૂરી ખર્ચ પણ કુરબાનીના ચામડાંની રકમમાંથી આપી શકાય કે નહિ?
જવાબઃ – કુરબાનીના ચામડાંની પૂરી રકમ ઝકાતના હકદાર ગરીબ મુસ્લિમોને સદકહ રૂપે આપવી વાજિબ છે, મજકૂર રકમ કોઈ પણ કામના મહેનતાણા પેટે આપવી જાઈઝ નથી, ચાહે સવાલમાં લખેલા કામો કુરબાનીની વ્યવસ્થાને લગતા જ છે, તો પણ તેનો મજૂરી અને વ્યવસ્થા ખર્ચ ચામડાંની રકમમાંથી આપવો જાઈઝ નથી.(શામી ભા.પ/ર૦૯)
Log in or Register to save this content for later.