[૩પ૬] મોટી કુરબાનીમાં એક હિસ્સો પૂરી ઉમ્મત માટે

Chapter : કુરબાની

(Page : 418)

સવાલઃ– એક માણસ ગાયની કુરબાની કરે છે, તેમાં એક હિસ્સો પોતાનો, એક હિસ્સો પોતાની ઔરતનો અને ત્રણ છોકરાના અને એક હિસ્સો રસૂલે પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને એક હિસ્સો પૂરી ઉમ્મતે મુહમ્મદિય્યહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો, તો આ પ્રમાણે કુરબાનીની નિય્યત કરી કુરબાની આપે તો કુરબાની થઈ શકશે?

જવાબ :– પોતાની ઘરવાળી અને પુત્રોની વાજિબ કુરબાનીનો ભાગ રાખવાનો હોય તો તેઓની મંજૂરી અને રજા લેવી જરૂરી છે, નહિ તો કોઈની કુરબાની અદા નહિ થાય. જો તેઓ તરફથી નફલ કુરબાની હોય તો પણ ઈજાઝત લઈ લેવી બહેતર છે. છઠ્ઠા ભાગમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી નફલની નિય્યત કરવામાં આવે અને સાતમા ભાગમાં પોતાની નફલ કુરબાનીની નિય્યત કરે અને કુરબાની પછી ઉમ્મતે મુહમ્મદિય્યહના મર્હૂમોને તે નફલ ભાગનો સવાબ પહોંચાડવામાં આવે.

Log in or Register to save this content for later.