Chapter : નિકાહ
(Page : 455-456)
સવાલ :– અમારા ફરજંદની શાદી અમારા સાળાના ત્યાં તા.૧પ/૧/૦૭ સોમવારે નકકી કરેલ હતી. ઈદના દિવસે મારૂતી એકસિડન્ટમાં અમારા વેવાઈનો ઈન્તેકાલ થઈ ગયો, દુઆ કરશો અલ્લાહ પાક મર્હૂમની મગફિરત કરી જન્નીતુલ ફિરદૌસ નસીબ કરે, આમીન. હવે અમારે શાદી કેટલા દિવસ પછી અને કયા મહીનામાં અને કયા વારે કરવી જોઈએ?
મુહર્રમ, સફર માં શાદી થઈ શકે કે નહીં, બીજું અમારા વેવાઈના એહલિયા ઈદ્દતમાં છે.
માટે આપ અમોને ખુલાસાવાર જવાબ આપવા મહેરબાની કરશોજી. અને દુઆમાં યાદ કરશો.
જવાબઃ– મરહૂમની વિધવા સિવાય બીજા રિશ્તેદારોએ મરહૂમની વફાત ઉપર ત્રણ દિવસથી વધુ સોગ અને ગમી જાહેર કરવી જાઈઝ નથી. માટે તમારા ફરજંદની શાદી તમારા મરહૂમ વેવાઈની દીકરી સાથે કરવા માટે કોઈ મુદ્દતની કે ઈદ્દતની પાબંદી નથી, ગમે ત્યારે કરી શકો છો અને બાલિગ છોકરા છોકરીની શાદી જલ્દી કરી આપવાની હદીસ શરીફમાં તાકીદ છે અને મરહૂમની વિધવા સિવાય બીજા રિશ્તેદારો માટે ત્રણ દિવસથી વધુ ગમી રાખવાની મનાઈ છે, માટે જલ્દી શાદી કરી હદીસો ઉપર અમલ કરી સામાજિક રિવાજોને છોડી આપવા જોઈએ અને મુહર્રમ, સફર દરેક મહિનામાં શાદી કરી શકાય છે, એક હદીસ મુજબ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ હઝરત ફાતિમહ (રદિ.)ની શાદી માહે મુહર્રમમાં કરી હતી. (શામી ભા.ર)
Log in or Register to save this content for later.