Chapter : નિકાહ
(Page : 449-450)
સવાલઃ– મારા શોહરે બીજી ઓરત કરી અને મને અલગ કરી દીધી છે, ઘરનું ભાડું તથા મારો નિભાવ ખર્ચ મને મળતો નથી, મારા પીયરમાં મારા એક મામા છે તે સિવાય બીજું કોઈ નથી, હવે હું મારા નિભાવ માટે ઘરકામની નોકરી કરવા હું પરદેશ (બહાર) ગઈ, આ હાલત લગભગ રપ થી ૩૦ વરસથી છે, મારે કોઈ અવલાદ નથી, મારા ધણીનો ખુદા નખ્વાસ્તા ઈન્તિકાલ થઈ જાય, કારણ કે તે બહુજ બીમાર છે તો હું ઈદ્દત માટે શું કરું વતન આવું કે હું જયાં પરદેશમાં છું ત્યાં ઈદ્દત ગુજારું? અથવા ઈદ્દત ન ગુજારું? મારા શોહર સાથે મારે કોઈ મેળ નથી?
જવાબ :– તમારા માટે પરદેશમાં એકલા મુસાફરી કરીને જવું અને ત્યાં એકલા રહીને નોકરી કરવી એ જાઈઝ નથી, તમોને જો તમારો પતિ અપનાવવા અને પોતાની સાથે રાખવા તૈયાર ન હોય તો તમારે તેની પાસે તલાકની માંગણી કરવી જોઈએ અને તલાક ન આપે તો મહકમએ શરઈય્યહ (શરઈ અદાલત)માં અરજી દાખલ કરી કોઈ ફેસલો લઈને ઈદ્દત ગુજાર્યા પછી બીજા નિકાહ કરી લેવા જોઈએ, બાકી હાલ તમો જે પ્રમાણે પરદેશમાં નોકરી કરી જીવન ગુજારી રહયા છો તે જાઈઝ અને હલાલ નથી.
જો તલાક થતાં પહેલાં પતિનું મૃત્યુ થાય તો હાલ જયાં રહો છો ત્યાં જ ઈદ્દત ગુજારવી જોઈએ. (શામી – ર)
Log in or Register to save this content for later.