Chapter : નિકાહ
(Page : 447)
સવાલઃ– કેટલીક જગ્યાએ તલાક વાળી બાઈઓ બે ત્રણ બાળકો વાળી હોવાથી તલાક આપનાર કે પિયરપક્ષ એટલો આર્થિક કે સંજોગોથી સમક્ષ ન હોવાથી બાળકો યતીમ – અને બે સહારા થતા હોય છે, કસૂરવાર પાસે ઈદ્દત વસૂલ કરાવી શકીએ, પરંતુ બાળ ઉછેર કે પરવરિશ તેની હાલત પર વિશ્વાસ ન બેસે. આવા સંજોગોમાં શરીઅતની ઝિમ્મેદારી તેઓના ઉપર છોડી તેના અમલ સાથે તેઓ જ ફરી નિકાહથી અને મહેરથી જોડાય, તેવું અમો (જમાતવાળા) ઈચ્છીએ છીએ. આ અંગે આપ શો મશ્વેરો આપો છે ?
જવાબઃ– જો એક અથવા બે બાઈન તલાક હોય તો ઈદ્દતમાં અને ઈદ્દત પછી તલાક દેનારથી હલાલહ વગર નિકાહ કરી શકાય છે અને ત્રણ તલાક હોય તો હલાલહ વગર ફરી નિકાહ ન થઈ શકે. શરીઅત મુજબ હલાલહ થાય તો ફરી તે જ શોહરથી ત્રણ તલાકવાળી ઓરતના નિકાહ કરવામાં વાંધો નથી.
Log in or Register to save this content for later.