Chapter : નિકાહ
(Page : 451-452)
સવાલઃ– પોતાની ઓરતને તલાક આપી પછી ઈદ્દત ગુજારી તેના નિકાહ બીજા ભાઈ સાથે કરાવી આપ્યા, હવે તે ભાઈએ અવરત સાથે દુખૂલ ન કર્યો અને ત્રણ તલાક આપી દીધી. તો શું તે પહેલા શવહર માટે નિકાહમાં લાવવી હલાલ થશે ? અગર નિકાહમાં લાવવી હોય તો બીજા ભાઈ સાથે ફરી નિકાહ કરવા પડશે? અગર બીજા ભાઈ સાથે ન કરે ને જે ભાઈએ દુખૂલ કર્યા વગર તલાક આપી છે, તેના સાથે ફરી નિકાહ કરાવી શકાય અને દુખૂલ કર્યા વગર ત્રણ તલાક આપે તો ફરી તલાક આપનારના નિકાહમાં લાવવા માટે ઈદ્દત ગુજારવી પડશે ?
જવાબઃ– બીજા શવહરે સોહબત કર્યા વગર તલાક આપી છે, માટે મજકૂર ઓરત પહેલા શવહર માટે હલાલ નહીં ગણાય. અને પહેલા શવહરના નિકાહમાં લાવવા માટે હવે બીજીવાર નિકાહ કરનાર શવહર સાથે આ ઓરતના નિકાહ કરવા જાઈઝ અને હલાલ નથી, કારણ કે તેણે આ ઓરતને ત્રણ તલાકો આપી છે. એટલે બીજા શવહર માટે પણ હવે હલાલહ વગર નિકાહ કરવા જાઈઝ નથી, પહેલા શવહરથી આ ઓરતના નિકાહ જાઈઝ થવા માટે જરૂરી છે કે જો બીજા શવહરે આ ઓરત સાથે એકાંતવાસ થવા પછી સોહબત વગર તલાક આપી હોય તો પ્રથમ આ ઓરત બીજા શવહરની તલાકની ઈદ્દત પૂરી થયા પછી કોઈ ત્રીજા શવહર સાથે શરીઅત મુજબ જાઈઝ તરીકાથી નિકાહ કરે તે ત્રીજો શવહર આ ઓરતથી હમ બિસ્તરી કરે અને હમબિસ્તરી પછી સ્વેચ્છાએ ઓરતને તલાક આપી દે, તલાક પછી ઓરત આ ત્રીજા શવહરની તલાકની ઈદ્દત ગુજારે, હવે ઈદ્દત પૂરી થયા પછી પહેલો શવહર આ ઓરતથી નિકાહ કરી શકે છે, ઉપરોકત વિગત મુજબ કાર્યવાહી થવા વગર પહેલા શવહરે પોતાની ત્રણ તલાકવાળી ઓરતથી ફરીવાર નિકાહ કરવા હલાલ અને જાઈઝ નથી. (શામી. ર)
Log in or Register to save this content for later.