[૩૭૪] અવલાદને માફ કરવી

Chapter : નિકાહ

(Page : 434-435)

સવાલઃ–(ર) જયારે કોઈ ઓલાદ પોતાની મા અને બહેન સામે પાછળની ભૂલની માફી માંગે તો માફ કરવા ઉપર અલ્લાહની પાસે શું દરજજો છે? જયારે મનાવવા ઉપર માને નહીં તો તેનું શું?

જવાબઃ– (ર) કુર્આન અને હદીસમાં માફ કરવાની ઘણી ફઝીલત આવી છે, કુર્આનમાં એવા લોકોની તા’રીફ કરવામાં આવી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે, જે લોકો ખૂશહાલી અને તંગદસ્તીમાં ખર્ચ કરે છે અને ગુસ્સાને પી જાય છે અને લોકોને માફ કરી દે છે.     (પા – ૪)

          હઝરત અબૂ બક્ર (રદિ.)એ હઝરત મિસ્તહ (રદિ.)ની એક ગલતીથી નારાજ થઈને એમનો ખર્ચ બંધ કરી દીધો હતો, એના પર કુર્આનની આયત ઉતરી ”અને કસમ ન ખાય લે તમારામાંથી મોટા દરજાવાળા અને માલદારીવાળા લોકો એ વાત પર કે તેઓ સગાં વહાંલા અને મોહતાજો અને અલ્લાહના રસ્તામાં હિજરત કરવા વાળાઓને ખર્ચ નહિ આપે, એમને જોઈએ કે માફ કરી દે અને દરગુઝર કરે. શું તમે એ પસંદ નથી કરતાં કે અલ્લાહ તમોને માફ કરી દે અલ્લાહ માફ કરનાર મહેરબાન છે.” આ આયત ઉતર્યા પછી હઝરત અબૂ બક્ર (રદિ.) એ તેમને માફ કરી દીધા અને ફરીથી એમનો ખર્ચ શરૂ કરી દીધો, હદીસમાં છે કે ”જે માણસ એ પસંદ કરે કે જન્નાતમાં તેના મહેલો ઉંચા હોય અને એના દરજાઓ બુલંદ હોય તો એને જોઈએ કે જેણે એના પર ઝુલ્મ કર્યો હોય એને માફ કરી દે અને જેણે તેને કદી પણ કોઈ પણ ન આપ્યું હોય એને હદીયો આપ્યા કરે અને જેણે તેના સાથે સંબંધો તોડયા હોય તે એના સાથે સંબંધો જોડે. (મઆરિફુલ કુર્આન – ર/ ૧૯૯) માટે માં અને બહેનને જોઈએ કે તેઓ પોતાની અવલાદ અને ભાઈની થઈ ગયેલી ભૂલને માફ કરી દે અને ઉપરોકત સવાબના હકદાર બને.

Log in or Register to save this content for later.