Chapter : નિકાહ
(Page : 429 to 431)
સવાલઃ– મારા દિકરા સમીરની શાદી વલસાડ મુકામે એપ્રિલ ર૦૦૯ માં થઈ હતી. મારો દિકરો કેનેડાવાસી હોય, શાદી થયા બાદ ૪ માસમાં કેનેડા પરત ગયો હતો, ત્યાર બાદ પત્નીની ફાઈલ મુકતાં જાન્યુઆરી ર૦૧૦માં વીઝા મળતાં મજકૂર ઓરત ૧૬ ફેબ્રુઆરી ર૦૧૦ના રોજ કેનેડા લેન્ડીંગ થઈ હતી.
ત્યાર બાદ મે ર૦૧૦ ના રોજ પી. આર. કાર્ડ મળી જતાં કોઈ પણ જાતની તકરાર વિના ઘર છોડી કેનેડા મુકામે રહેતી તેની મોટી બહેનને ત્યાં ચાલી જવા પામી હતી. બે થી ત્રણ વખત સમજાવટ પતાવટ કરવા છતાં પરત આવેલ નથી. તેમજ તેના માતા – પિતાએ આજ દિન સુધી કોઈ વાંધો લીધેલ નથી. તેમ જ કોઈ પણ રીતે કોન્ટેકટમાં આવેલ નથી.
વિશેષ ઉપરોકત બાબત ધ્યાનમાં લઈ નીચે જણાવેલ પ્રશ્નના ઉત્તર આપવા વિનંતિ છે.
(૧) કેનેડા મુકામે ફકત ૩ માસ અને ૬ દિવસનો સંસાર ભોગવી કોઈ પણ કારણ વગર ઘર છોડી ચાલ્યા જવાથી અને આજની તારીખ સુધીમાં કોઈ પણ જાતના કોન્ટેકટમાં ન રહેવાથી નિકાહમાં રહી શકે છે કે કેમ ?
(ર) જો નિકાહમાં ન રહેતી હોય તો તલાક આપ્યા વિના બીજી શાદી મારો દિકરો કરી શકે ખરો ?
(૩) કેનેડા મુકામે મવસૂફ તરફથી ડાયવોર્સ (છૂટાછેડા) માંગવામાં આવે જેને સંપત્તિ આપી મંજુર કરવામાં આવે પરંતુ તલાક આપવામાં ન આવે તો નિકાહમાં ચાલુ રહેવા પામેલ છે એમ ગણી શકાય ખરું ?
(૪) મજકૂર છોકરીના માતા – પિતા પોતાની દિકરીના ઘર સંસાર માટે કોઈ પણ જાતના કોન્ટેકટમાં આવવા માંગતા જ ન હોય, તો આ બાબતે જમાત મારફત તેઓનો ખુલાસો માંગી શકાય ખરો ? ઉપરોકત બાબતે પ્રતિઉત્તર (ફતવો) ઈસ્લામિક રાહે આપવા વિનંતિ છે.
જવાબઃ (૧) જયાં સુધી તેણીનો પતિ તલાક આપી તેને પોતાના નિકાહમાંથી અલગ ન કરે ત્યાં સુધી તે પોતાના પતિના નિકાહમાં બાકી રહેશે, ચાહે ગમે તેટલી મુદ્દત પતિ – પત્ની એક બીજાથી અલગ રહે.
જવાબઃ– (ર) તેણીને તલાક આપ્યા વગર તમારો દીકરો બીજી શાદી કરી શકે છે.
જવાબ :–(૩) જો ઓરત ડાયવોર્સ માંગે અને પતિ તેને મંજુર કરે તો તલાક પડી ગયેલ ગણાશે અને રજઅત વગર ઈદ્દત પૂરી થતાં તેણી નિકાહમાંથી અલગ થઈ જશે.
જવાબઃ– (૪) માંગી શકાય છે.
Log in or Register to save this content for later.