[૩૭ર] પતિનું વિદેશથી ઘરે ન આવવું

Chapter : નિકાહ

(Page : 431-432)

સવાલઃ– એક અવરતનો શોહર ૧૧ વર્ષથી આફ્રીકામાં છે અને ઓરત અહીં હિન્દુસ્તાનમાં છે, જે માં બાપના ઘરે રહે છે, ત્રણ છોકરીઓ છે જે જવાન થઈ ગઈ છે, શોહર ઓરતને બોલાવતો નથી અને પોતે પણ આવતો નથી, ઓરત બોલાવવા માટે ફોન કરે છે તો બુરૂ – ભલું કહે છે અને કહે છે કે હું ખર્ચ તો મોકલું છું, પછી તારે શું ફિકર છે? શોહર દર બે ત્રણ મહીને વીસ હજાર જેવા રૂપિયા મોકલે છે, જે છોકરીના તાલીમ વિગેરેમાં તેમજ ઝરૂરતમાં ખર્ચ કરે છે. ખાવા–પીવાનું તેનું અને છોકરીઓનું માં –બાપને ત્યાં જ છે, મા – બાપ પણ ઝઈફ છે, ૧૧ વર્ષથી આ બાઈ સબર કરી રહી છે અને ત્યાં આફ્રિકા બોલાવતો નથી, પોતે પણ આવતો નથી, તો શું રૂપિયા પૈસામાં જ બધા હુકૂક આવી જાય છે? બીજા કંઈ હક નથી? તો હવે મજકૂરહ ઓરત શું કરે, એના માટે શરઈ દ્રષ્ટિએ શું માર્ગદર્શન છે ? જે તફસીરથી હવાલા સાથે આપવા મહેરબાની કરશો જેથી તેને મોકલી શકાય, ઓરત ઈન્ડીયા આવવાનું કહે તો શોહર એમ કહે છે કે હું જિંદગીમાં પણ ઈન્ડીયા આવવાનો નથી અને તને બોલાવું પણ નહીં, તુ શું કરી લેશે, વિગેરે ધમકીઓ આપે છે, તો હવે આ ઓરત શું આવી જ રીતે જિંદગી બસર કરી લે ? માટે તફસીલથી હવાલા સાથે જવાબ આપવા નમ્ર વિનંતી છે.

જવાબ :– પતિ ઉપર પત્નીનો અને છોકરીઓનો ભરણ પોષણ ખર્ચ આપવો, રહેઠાણ માટે મકાન અને પહેરવાના કપડાં આપવા જરૂરી છે અને આ બાબતે જો પતિ કોતાહી કરે તો અહિંયા પોતાના એરિયામાં કોઈ વિશ્વાસ પાત્ર શરઈ પંચાયત હોય તો તેમાં કેસ દાખલ કરી શકાય છે અને પતિએ ચાર મહિનાની અંદર એકાદવાર પોતાની પત્નીને શારિરીક સુખ પહોંચાડવું દીની દયાનતી દ્રષ્ટિએ વાજિબ છે, ઓરતને અવિવાહિત ઓરત જેવી રાખવાની અને સંબંધ ન રાખવાની કુર્આન શરીફ અને હદીસ શરીફમાં મનાઈ આવેલી છે, આ બાબત પણ શરઈ પંચાયતમાં શિકાયત કરી શકાય છે.                                                                    (અલ હીલહ)

Log in or Register to save this content for later.