[૩૬૮] શવહરની પરવાનગી વગર ઔરતનું ઘરેથી નિકળવું અને બનેવીથી બેપર્દગી

Chapter : નિકાહ

(Page : 423-424)

સવાલઃ– મારી ઘરવાળી સાથે મારો ઝઘડો છોકરાના વિષે થયેલ અને તે તેની માંના ઘરે ચાલી ગયેલ, ફકત બોલાચાલી થયેલ મારધાડ નહીં અને તેની માંના ઘરેથી મારી રજા વગર તેની બહેનના ઘરે મુંબઈ ચાલી ગયેલ, જયાં તેના બનેવી યાને મારા સાઢુભાઈ જે આગાઉ મારી ઘરવાળી વિષેની નિય્યત સારી ન હોવાના કારણે મારો તથા મારા સાઢુભાઈનો ઝઘડો થયેલ તે મારી ઘરવાળીના શરીરના અવયવોના વિષે પણ ગલત વાતો કરતો હતો અને વારંવાર તેની મજાક કરતો હતો પણ મેં મારી ઘરવાળીને વાત કરેલ નહીં, ઘરમાં ઝઘડો ન થાય તે માટે વાત કરેલ નહીં, મારી ઘરવાળીને આ વાતની ખબર ન હતી માટે તેના અને મારી ઘરવાળી વિશેનું શરીઅત મુજબ વર્ણન આપશો.

જવાબ :– તમારી પત્નીએ તમારી રજા વગર તમારા ઘરેથી બહાર જવું અહિંઆ સુધી કે પોતાની માંના ઘરે જવું પણ જાઈઝ નથી શરીઅતમાં હુકમ તેણી માટે આ છે કે તે તુરંત જ પોતાના પતિના ઘરે પરત આવી જાય અને પતિ પત્ની પરસ્પર એક બીજાના હકકો અદા કરે. (શામી : ર)

          ઓરત માટે તેનો બનેવી (પતિનો સાઢુભાઈ) એ પરાયો પુરુષ ગણાય, ઓરતે પોતાના બનેવીથી પરદો કરવો જરૂરી છે અને બનેવીએ પોતાની સાળીના અવયવો – અંગોને શહવત સાથે જોવું હરામ છે, પતિની મરજીના વિરૂધ્ધ આવા પરાયા પુરુષ ગણાતા બનેવીના ઘર ઉપર રહેવું એ જાઈઝ નથી અને ત્યાંથી તુરત પોતાના પતિને ઘરે પરત આવી જવું જરૂરી છે. (શામી – ર/પ)

Log in or Register to save this content for later.