Chapter : નિકાહ
(Page : 414)
સવાલઃ– બચ્ચાના જન્મ પછી ઓરતને કેટલા સમયે એના સસુરાલ (શોહરના ઘરે) આવવાનું તે સમય ગાળો બતાવશો. શું સવા મહિના પછી તરત જ ઓરત પોતાના શોહરના ઘરે ના આવી શકે?
જવાબ :– પતિની રજા સિવાય વિલાદતના દિવસોમાં અને તે પછી નિફાસના દિવસોમાં અને નિફાસ પછીના દિવસોમાં ઓરતે પતિના ઘરથી બહાર રહેવું જાઈઝ નથી, પતિની ખૂશી અને રજા ન હોય તો ઓરતે મજકૂર દિવસોમાંથી કોઈ પણ દિવસ પતિના ઘરથી બહાર જવું અહિંયા સુધી કે પોતાના બાપના ઘરે જવું અને ત્યાં રહેવું જાઈઝ નથી, પતિના ઘર સિવાય બીજા ઘર ઉપર પતિની ખૂશી અને રજા સિવાય રહેવાની મનાઈ છે, પતિના ઘરે જવાની કોઈ મનાઈ નથી, બલ્કે ન જવાની મનાઈ અને ગુનાહ છે. (શામી : ર)
Log in or Register to save this content for later.