Chapter : નિકાહ
(Page : 415-416)
સવાલ :– (૧) છોકરીની રૂખ્સતી પ્રસંગે (તેડામાં) આવનાર ગામના બહાર ગામના મેહમાનો માટે બનાવવામાં આવતા ખાણાંમાં પોતાની ઘરની કુર્બાનીનો ગોશ્ત વાપરી શકાય? રૂખ્સતી ૧૪ મી ઝિલ હજજે છે, જે દિવસોમાં વેચાતો ગોશ્ત મળવો મુશ્કેલ છે.
(ર) શાદી પ્રસંગે ખાતી વખતે મંડપ નીચે ટેબલ મૂકી વહેવાર લેવો કેવું છે? જો વહેવાર લીધો હોય તો હવે શું કરવું ? વહેવારની રકમ કોઈ ગરીબને આપી દેશે તો ચાલશે કે વહેવાર આપનારને પરત કરવી જરૂરી છે ?
જવાબ :– મજકૂર ગોશ્તથી ખાવું પકાવીને મહેમાની કરીને કોઈ વહેવાર લેવામાં ન આવે તો તેનો સવાલમાં લખવા મુજબ ઉપયોગ કરવો જોઈઝ છે. (શામી : ભા.પ)
(ર) શાદી પ્રસંગે ખાવું ખવડાવી લોકો પાસેથી પૈસા લેવા ટેબલ મુકવું જાઈઝ નથી, તેમાં ઘણી ખરાબીઓ છે.
(ફ. મહમૂદિય્યહ ભા. ૮ / ર૮૧)
વહેવારની રકમ પરત કરવા વિશે છણાવટ
જો ખરેખર વહેવારની રકમ શાદી વખતે એ નિય્યતે આપી કે જયારે અમારા ઘરે કોઈ ખૂશીનો પ્રસંગ હશે ત્યારે તે લોકો પણ વહેવાર લઈને આવે તો આ એક પ્રકારનું કર્ઝ છે. (અશરફુલ જવાબઃ ૧/૧૧૧નો ખુલાસો) માટે વહેવારના નામે મળેલ રકમ આપનાર વ્યકિત અને આપેલ રકમની જાણ હોય તો તેને પરત કરવી જરૂરી છે અને વ્યકિત અને રકમની જાણ ન હોય તો મૂળ માલિકની નિય્યતથી સદકહ કરવો જરૂરી છે અને અહિંયાના રિવાજમાં લગભગ આવી જ નિય્યતે લોકો વહેવાર લખાવે છે.
અને જો ખરેખર કોઈએ પરત લેવાની નિય્યત વગર સાચા દિલથી સહાય અને હદિયાની નિય્યતથી શુભ પ્રસંગે રકમ આપી હોય તો પાછી આપવી કે સદકહ કરવી જરૂરી નથી.
Log in or Register to save this content for later.