[૩૪૬] પત્ની પતિની રજા વગર ઘરેથી ન નિકળે

Chapter : નિકાહ

(Page : 398)

સવાલ :–(૧) ઓરત ધણીની રજા સિવાય બહાર પોતાની મરજીથી જઈ શકે કે નહિ? પોતાને સગાને ત્યાં પણ જવું હોય અને ઓરત ધણીની રજા વગર જઈ શકે કે નહિ? અને ધણી ઓરતને અટકાવે તો ઓરતે રોકાય જવું જાઈઝ છે કે નહિ? તે ઉપરાંત એ પણ જણાવશો કે વર્ષમાં કેટલા વાર ઓરત માં – બાપના સગાને મળવા ધણીની ઈજાઝત વગર જઈ શકે?

જવાબઃ– (૧) ઓરત માટે પોતાના પતિની રજા વગર ઘરથી બહાર નિકળવું જાઈઝ નથી. અને ઓરત પોતાના સગાઓમાંથી મા– બાપની મુલાકાત માટે અઠવાડિયામાં એક વાર જઈ શકે છે. અને મા – બાપ સિવાય બીજા મહરમ રિશ્તેદારોની મુલાકાત માટે વર્ષમાં એક વાર જઈ શકે છે અને આ સિવાય ગેરમહરમ રિશ્તેદારોની મુલાકાત માટે જવું જાઈઝ નથી અને માં– બાપ તથા મહરમ રિશ્તેદારોની મુલાકાત માટે પણ પતિની રજા લઈ જવું જોઈએ, જો પતિ રજા ન આપે અને વાલિદૈન પોતે તેની  મુલાકાત માટે આવી શકતા હોય તો પણ તેણે ન જવું જોઈએ અને અને આ સૂરતમાં પતિએ વાલિદૈનને તેના ઘર ઉપર આવવાથી રોકવા જાઈઝ નથી, અલબત્ત જો વાલિદૈન ન આવી શકતા હોય તો રજા આપવી જોઈએ અને મુલાકાત કરીને જલ્દી પાછા ફરવું જાઈઝ છે.      (શામી – ર/૩પ૯,૬૬૪, મ. અનહુર – ૧/૪૯૩)

Log in or Register to save this content for later.