Chapter : નિકાહ
(Page : 392)
સવાલ :–(ર) ઉપર લખેલી ફેમિલીએ અનાથ આશ્રમમાંથી તાઃર૯/૩/૯૪ના જન્મેલો એક છોકરો લીધો છે ફેમિલી અમેરિકામાં રહે છે અને ત્યાંની ગવર્મેન્ટ મારફત છોકરો મંગાવ્યો તો ઈન્ડિયાની ગવર્મેન્ટે અનાથ આશ્રમમાંથી ગમે તે કોમનો કે ગમે તેવી રીતે જન્મેલો છોકરો, માંગણી કરનાર માણસનું નામ દાખલ કરીને મોકલ્યો છે, છોકરો હાલમાં બાઈને માતા અને પુરૂષને પિતા સબંધથી રહે છે અને રાખવાનો છે તો છોકરો મોટો થતાં છોકરાનો પર્દો માતાએ અને બહેને કરવો જોઈએ કે કેમ?
જવાબઃ– (ર) મજકૂર બન્નેે ઓરતો સાથે સદરહુ છોકરાને નસબી રૂએ મહરમ હોવાની રિશ્તેદારી નથી, માટે તે પરાયો પુરૂષ ગણાશે અને બન્નેન ઓરતોએ તેનાથી પર્દો કરવાની કાળજી રાખવી પડશે. (શામી–પ)
Log in or Register to save this content for later.