Chapter : નિકાહ
(Page : 396-397)
સવાલઃ– એક બહેન તેના ધણીથી નફરત કરે છે, જવાબ માંગતા કારણ એ દર્શાવ્યું કે તેનો ધણી તેની દરકાર કરતો ન હતો, જેથી તે બહેને અલ્લાહ તઆલા પાસે એવી દુઆ કરી કે ”યા અલ્લાહ મને મારા ધણી પ્રત્યે નફરત કરી દે અને એમના ઉપરથી દિલ ઉતારી દે” તે બહેનનું કહવું છે કે આ દુઆ મારી મકબૂલ થઈ છે, જેથી હવે મને મારા ધણી પ્રત્યેથી દિલ ઉતરી ગયું છે અને એમના તરફ નફરત થઈ ગઈ છે, આ સવાલનો જવાબ બરાબર આપશો, કેમકે મારા ધારવા મુજબ તો આ દુઆ માંગવી જ જાઈઝ માલૂમ નથી, ધણીનો ઘણો જ મોટો મરતબો છે.
જવાબઃ– ઓરતે પોતાના પતિથી નફરતની દુઆ કરવી એ જાઈઝ અને દુરસ્ત નથી, આવી દુઆ પોતાના જ નુકસાનની બદદુઆ કરવા સમાન છે જેનાથી હદીસ શરીફમાં મનાઈ આવી છે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે કે તમો પોતાની જાત માટે બદદુઆ ન કરો અને પોતાની અવલાદ અને માલ માટે પણ બદદુઆ ન કરો. એવું ન બને કે તમારી દુઆ કબૂલિયતની ઘડી સાથે મળી જાય. અને અલ્લાહ તઆલા કબૂલ ફરમાવી લે.
(મિશ્કાત શરીફ – દઅવાત – મુસ્લિમ શરીફ)
ઓરત જયારે પોતાના પતિથી નફરત કરશે તો જાહેર છે કે પતિ તેનાથી નારાજ અને ગુસ્સામાં રહેશે અને એવી ઓરત માટે હદીસ શરીફમાં ઘણી સખત વઈદ આવેલી છે, જેનાથી તેનો પતિ નારાજ અને ગુસ્સામાં હોય, આવી ઓરત ઉપર હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ લઅનત ફરમાવી છે. અને આવી ઓરતની નમાઝો કબૂલ થતી નથી અને આવી ઓરત લોકોમાં સૌથી સખત અઝાબની મુસ્તહિક (પાત્ર) ઠરે છે. (તિરમિઝી, શરીફઃ ૧/૮૩)
પતિએ પણ પોતાની પત્નીના હકો અદા કરવાની કાળજી રાખવી જરૂરી છે અને તેને ખૂશ અને રાજી રાખવાની કોશિશ કરવી જોઈએ, હદીસ શરીફમાં પત્નીને ખુશ અને રાજી કરવા માટે જૂઠ બોલવાની પણ ગુંજાઈશ બતાવવામાં આવી છે. (તિરમિઝીઃર/૧પ)
Log in or Register to save this content for later.