Chapter : કુરબાની
(Page : 397-398)
સવાલ :– એક ભાઈનું કુરબાનીનું જાનવર પોલીસ છોડી લઈ ગઈ તે ભાઈ કુરબાની માટે બીજું જાનવર ખરીદ કરી લાવ્યા, પોતાના ઘરમાં બાંધેલુ હતુ અને ચોર ચોરી લઈ ગયો. હવે એ ભાઈ પાસે કુરબાનીનું જાનવર ખરીદ કરવાની પોઝીશન નથી. તો હવે તે ભાઈએ શું કરવું? વાજિબ માફ થશે કે નહિ?
જવાબ :– જો બીજું જાનવર ચોરાય ગયા પછી કુરબાનીના દિવસો પૂરા થતાં પહેલાં તે માણસ એવો ગરીબ થઈ ગયો કે જેના ઝિમ્મે કુરબાની વાજિબ થતી નથી તો હવે તે માણસે ત્રીજું જાનવર ખરીદી કુરબાની કરવી વાજિબ નથી અને જો મજકૂર વખતમાં તે ગરીબ થયો નથી તો તેણે કુરબાની કરવી વાજિબ હતી, જો ન કરી હોય તો વાજિબ કુરબાનીની કઝા કરવી વાજિબ છે. (શામી –પ, બદાઈઅ–૪/૧૯૬)
Log in or Register to save this content for later.