Chapter : કુરબાની
(Page : 394)
સવાલ :– ગાય (મોટા જાનવર)નો વેપાર કરતા વેપારી ગાયને ચારા માટે ગામમાં છોડી મૂકે છે અને ખાટકી એની પાસેથી લઈને જાનવર ઝબહ કરી તેનો ગોશ્ત વેચે છે, શું તે આપણાથી ખાય શકાય અને એવા વેપારી પાસેથી કુરબાની માટે આ પ્રકારના જાનવર લઈ શકાય કે નહિ તે જણાવશોજી.
જવાબ :– બીજાના માલને નુકસાન થાય એ રીતે જાનવરો દિવસ રાત છોડી મૂકવા જાઈઝ નથી, પરંતુ આ પ્રમાણે છોડી મૂકવામાં આવેલા જાનવરોએ ખરેખર બીજાની માલિકીનો ઘાસચારો ખાય લીધો હોવાથી અથવા ખાધેલા હોવાની સંભાવનાથી તે જાનવર અને તેનો ગોશ્ત હરામ નહિ ગણાય, માટે તે જાનવર ખરીદવું અને તેનો ગોશ્ત ખરીદવો અને ખાવો જાઈઝ છે. (અશ્બાહ,બઝઝાઝિય્યહ)
Log in or Register to save this content for later.