Chapter : કુરબાની
(Page : 393)
સવાલ :– કુરબાનીનું જાનવર કુરબાનીના દિવસો પહેલાં મરવા જેવું થઈ જાય અને મરવાની અણી ઉપર હોય તો તેને મરવા દેવું કે તેને ઝબહ કરી ખાય જવું? (કુરબાની જેના ઉપર વાજિબ હોય અને જેના ઉપર વાજિબ ન હોય એ બન્ન સૂરતોનો જવાબ લખશોજી)
જવાબ :– જો તે જાનવર એવા માલદાર માણસનું હોય કે જેના ઉપર માલદારીના લઈ કુરબાની વાજિબ હોય તો હવે આવું બીમાર જાનવર તેની વાજિબ કુરબાનીમાં ચાલે નહિ અને તેણે બીજા તંદુરસ્ત કુરબાની લાયક જાનવરની કુરબાની કરવી પડશે. અને માલદાર માણસ આ બીમાર જાનવરને કુરબાનીના દિવસો પહેલાં ઝબહ પણ કરી શકે છે અને કોઈને વેચી પણ શકે છે, કારણ કે તે હવે તેની કુરબાનીનું જાનવર રહયું નથી.
જો આવું જાનવર ગરીબ માણસનું હોય અને તે તેણે કુરબાનીના દિવસો પહેલાં ખરીદયું હોય અને તેની મન્નત ન માની હોય તો તે માણસ મજકૂર જાનવરને હાલ ઝબહ કરી ગોશ્ત ખાય શકે છે અને બીજાને ખવડાવી પણ શકે છે અને વેચી પણ શકે છે અને કુરબાનીના દિવસો આવતાં સુધી કુરબાનીની નિય્યતથી બાકી પણ રાખી શકે છે. અને જો જાનવરની કુરબાનીની ગરીબ માણસે મન્નત માની હોય અથવા કુરબાનીના દિવસોમાં ખરીદયું હોય તો મજકૂર જાનવર રહેવા દેવું અને જીવતું રહે તો તેની કુરબાની કરવી વાજિબ છે જો મરી જાય તો તેની જગ્યાએ બીજા જાનવરની કુરબાની વાજિબ નહિ થાય. (શામી–પ/ર૦૪, ર૦૭)
Log in or Register to save this content for later.