Chapter : કુરબાની
(Page : 394-395)
સવાલ :– મારી એહલિયાના નામનો એક બકરો બચપનથી (કુરબાનીની નિય્યતથી) મોટો કર્યો. હવે મારી અહલિયા તથા મારો છોકરો ઈમરાન હજ માટે જઈ રહયા છે અને એ લોકો હજજે તમત્તુઅ કરવાના છે, એટલે ત્યાં કુરબાની થવાની છે અને હું પોતે કર્ઝમાં છું એટલે કુરબાની મારી ઉપર વાજિબ નથી. તો કુરબાનીનો તે બકરો હું વેચી શકું કે પછી એની કુરબાની અહિંઆ પણ એહલિયાના નામથી કરવી પડશે ?
જવાબ :– જો તમારી અહલિયાએ આ બકરાની કુરબાની કરવાની મન્નત ન માની હોય, ફકત દિલમાં નિય્યત કરી હોય અથવા બકરો તેની માલિકીનો ન હોય, બલ્કે તમારી માલિકીનો હોય તો તમે તે બકરો વેચીને તેની કિંમત વાપરી શકો છો. અહલિયાની માલિકીનો બકરો હોય તો વેચવા માટે તેમની મંજૂરી લેવી જરૂરી છે. (શામી – ૩/પ)
Log in or Register to save this content for later.