[૩પ૮] પિતાને બીજા નિકાહ કરવાથી રોકવા અને ખરાબ વર્તાવ કરવો

Chapter : નિકાહ

(Page : 410 to 413)

સવાલઃ– મારી ઉમર ૬ર થી ૬પ વર્ષની છે, મારી બીવી હજીયાણી ૪ માસ પહેલા ગુજરી ગયેલ, મારી પાસે માલ મિલકત, દુકાનો, ખેતીની જમીન પુષ્કળ છે. મારે ચાર દિકરા – ત્રણ દીકરી, વિશાળ ડેલામાં ચાર ભાઈઓના બંગલા તથા તેનાથી વધારે ડેલામાં જમીન તે વેરાવળમાં જ આવેલ છે, ગઈ સાલમાં જ બનાવેલ મારી બીવીની વસિય્યત પ્રમાણે કહી ગયેલ કે હાજી સાહેબને આધેડ વયની શોધી શાદી કરાવી દેશો, ચારેવ બચ્ચાઓની શાદી થઈ ગઈ છે, તેઓ હરાજ (હેરાન) ન થાય તે હિસાબે શાદી કરાવી દેશો, મેં છોકરાઓને વાત કરેલ કે આપ તથા દીકરીઓનો ઘરબાર છે, મારી તબીયત લથડી કે ડેલામાં બચ્ચા બારામાં કદાચ લડાય થાય તો મારી સામે આંગળી ચીધે તો મારે શું કરવું તેમાં વચલો છોકરો બહુજ હોશિયાર છે, જે ગુલામ હુસેનની નાલાયકીમાં પણ હોશિયાર છે તેણે બીજા ત્રણ ભાઈઓને અંગતમાં ચઢાવીને રાત્રે ભેગા થયેલ તેમાં મારે માનેલી બહેન તથા તેનો છોકરો પણ રાજકોટથી આવેલ દીકરીઓ પણ આવેલ, તેણી મારી હકીકત જાણતી હતી અને શાદી કરાવ્વામાં ખુશ હતી અને છોકરા બિલકુલ રાજી હતા નહિ, વચલા છોકરાના હિસાબે બે છોકરા ખરાબ ગાળો બોલી મારવા દોડેલ કે તમો કેમ શાદી કરો છો, આ સર્વે મિલકત અમારી કમાઈની છે, તમારું કાંઈ લાગતું નથી, તો તેઓને મેં કીધુ કે મારું કઈ લાગતું ન હોય તો મને ત્રણ કપડા ભેળ જવા દો, હું તમોને વકીલ મારફત વસિય્યત કરેલ તે પણ તમોને આપું છું, મારા મહેમાનને વચલા છોકરાએ એ રાતના એક વાગ્યે કહી દીધુ કે તમો શું કામ આવેલ છો ? અત્યારે અને અત્યારે જ ચાલ્યા જાવ તેઓ રાત્રે મારી દીકરીને ત્યાં રહી સવારે ગયેલ તે મારી મોં માગી બહેન હતી તેણે મારી તકલીફમાં બહુજ ભાગ લીધેલ.

          બીજા દિવસે ખ્યાલ આવેલ કે જે હાજી બાપુ પર જુલમ કરેલ દુઃખ ભુલાય તેમ નથી, તેઓ દિવસે જમ્યા પણ નહીં અને રાત્રે ફરી ભેગા થયેલ ત્યારે ચારે જણા ખૂબ રડતા હતા અને ઘરના સર્વે દીકરાઓ સાથે બહુજ રડેલ, હાજી બાપુ તમે અમોને શાદી માટે ના કહી દો, મેં તેઓને કીધુ કે ગઈ રાત્રે મારા ઉપર વીતાવી તે ભુલયો નથી, ફરી નહિ વીતાવો તેની ખાતરી શું? છેવટે મારે તેમને કહેવું પડેલ કે હું શાદી નહિ કરું પણ મારો વિકલ્પ ખુલ્લો રાખુ છું, જયારે પણ મને લાગશે ત્યારે હું શાદી કરીશ જે મારા દિલમાં લાગેલ છે તેને મારે કેમ રૂઝવવા તેની યાદી મને રોજ આવે છે, આ બધુ મેં કેમ સહન કીધુ ? એક મારી આબરૂ અને ચાર દીકરા સાથે રહેલ તે પ્રતિષ્ઠા એક બીજા મારાથી સબક લેતા હતા તે મારે કેમ મિટાવી દેવું વેરાવળમાં ઈસ્લામમાં મારું પહેલું નામ આવતુ હતું, તે સર્વે જોતા મેં કોઈ અધમ પગલું ભરેલ નહિ, સર્વે છોકરા ઈસ્લામ ધર્મમાં બહુજ રૂચિ રાખે છે, છતાં આ પગલું ભરેલ મારા મને છોરૂકછોરૂ થાય પણ માવતરથી થવાય નહીં આપને મારી નમ્ર અરજ કે મારી ભૂલ હોય કે તેઓની તે ફતવો મારી બે પેઢીમાં મોકલવા મહેરબાની કરશોજી.

          આપ તેઓને માવતરનો ફર્ઝ સમજાવશો અને તેનો ફિતરો શું કાઢવો તે સલાહ આપશો દાખલા તરીકે પત્નીને રાત્રે તલાક આપી સવારે માફી માગવી તે જ કિસ્સો છે.

          રાત્રે મને ન કહેવાનું કહેલ અને સવારે માફી માગી ખૂબ રડેલ તો તેનો શું ફિતરો કાઢવો તેનો સહીહ ચીતાર આપશોજી, અત્યારે અમો સાથે રહીએ છીએ તેઓ તેમના કાર્ય ઉપર ગમ કરે છે અને હું જખ્મ ભૂલવાની કોશિશ કરું છું તેઓ ખુદ રાજીખૂશીથી કહે પછી જ શાદીનું વિચારવું છે.

          રાજકોટથી મારા મો માગ્યા બહેન આ બારામાં આવેલ અને તેઓનું અપમાન કરી કાઢી મૂકેલ તેનું શું કરવું ?

જવાબઃ– તમોએ જે ધંધાઓ શરૂ કર્યા છે અને તમારા દીકરાઓ તે ધંધાઓમાં કામ કરે છે, તે ધંધાઓ – દુકાનો – મકાનો તમારી માલિકીના છે, તમારા તરફથી બક્ષિશ અને કબ્ઝા સિવાય છોકરાઓએ તેના માલિક હોવાનો દાવો કરવો જાઈઝ નથી.

          તમારી પત્નિના મૃત્યુ પછી બીજી શાદી કરવી તમારા માટે જાઈઝ અને હલાલ છે, તે બાબત છોકરાઓની રજા લેવી કોઈ જરૂરી નથી અને છોકરાઓએ તે બાબત અવરોધો ઉભા કરવા સખત ગુનાહનું કામ છે, મોટી ઉમરમાં પણ નિકાહ કરવા સુન્નવત છે, તે કોઈ નાજાઈઝ કે હરામ કામ નથી. જો આપને પોતાના સુખી અને શાંતિમય જીવન માટે બીજી શાદી કરવી જરૂરી જણાય તો જરૂર બીજી શાદી કરવી જોઈએ અને તેમાં અવરોધો ઉભા કરનાર ખૂબ જ ગુનેહગાર ગણાશે.

          અવલાદે પોતાના પિતાને ગાળો ભાંડવી, તેઓને અપશબ્દો કહેવા મારપીટ કરવી સખત ગુનાહનું કામ છે અને દુનિયા આખિરતમાં બરબાદી લાવનાર છે, કુર્આન – હદીસમાં મા–બાપની અવગણના અને માનહાની કરનાર વિશે સખત વઈદો આવેલી છે.

          પોતાના દુન્યવી હિત માટે પિતાનું અપમાન કરવું, શરીઅતે આપેલા નિકાહના હકકથી તેઓને માનસિક ત્રાસ આપી વંચિત કરવા એ બિલકુલ જાઈઝ નથી અને તેઓના સંબંધીઓનું અપમાન કરવું એ પણ ગુનાહનું કામ છે, વહેલી તકે આવી પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ અને પિતા પાસે માફી માંગી તેઓની ખૂશી પ્રાપ્ત કરી તેઓનું દિલી દુઃખ અને નારાઝગી દૂર કરવા પહેલી ફુરસદમાં પ્રયત્નો કરવા જોઈએ.

Log in or Register to save this content for later.