Chapter : નિકાહ
(Page : 381-382)
સવાલ :– મારા એક દોસ્ત જેમની ઉમર ૩૦ વર્ષની છે અને તેમની શાદી થયાને ૭ વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ અવલાદ નથી, તેઓ તેમના માં – બાપ અને નાના ભાઈઓ સાથે રહે છે, તેમણે ડોકટરનો ઈલાજ કર્યો, જેનાથી જાણવા મળ્યું કે મર્દના વિર્યમાં જીવાણુંઓ જેટલી મિકદારમાં હોવા જોઈએ તેટલી મિકદારમાં નથી, આથી તેમણે તેમનો ઈલાજ ચાલુ કર્યો તેમની અહલિયામાં કોઈ ખામી નથી, ઘરનો માહોલ દીની નથી જેથી તેમણે બાપુ, દરગાહ, તાવીઝ વિગેરે કર્યું, પણ કોઈ ફર્ક નથી, શોહર – બીવી તો દીનથી થોડા વાકેફ છે, તેથી તેઓ આ કરવા તૈયાર નથી, પણ મહોલ્લાની ઓરતો બીવીની સાસુને મખ્લૂકથી થવાનું યકીન બનાવે છે, તેથી બીવીની સાસુ દરગાહ પર જવા માટે બળજબરી કરે છે, આથી આખુ ઘર કસ–મકસમાં છે. ડોકટરે રીપોર્ટ પરથી જણાવ્યું કે વિર્યમાં જેટલા પ્રમાણમાં જીવાણુઓ હોવા જોઈએ તેટલા પ્રમાણમાં ન હોવાથી સોહબત કરતી વેળા તેમાંથી એક જીવાણું ઓરતના રહમમાં દાખલ થવું જોઈએ તે થતું નથી. બચ્ચાદાનીમાં ફકત એક જીવાણું જવાથી હમલ રહી જાય છે. આથી ડોકટરે તેમને એવી સલાહ આપી કે હસત મૈથુનથી શોહર પોતાનું વિર્ય એક ટયુબમાં કાઢે પછી તેમાંથી એક જીવાણુંને કાઢવામાં આવે અને તે જીવાણુંને ઈન્જેકશન દ્વારા લેડી – ડોકટર ઓરતના રહમમાં પહોંચાડે તો શું આ રીતે કરવાની શરીઅત ઈજાઝત આપે છે? અગર નહિ તો જીવાણુંને ચોકકસ મિકદારમાં પેદા કરવા ઘણાં લાંબા સમય સુધી દવા કરવી પડે અને તેના નતીજાની પણ કોઈ ગેરંટી નથી, તો વિગતે જવાબ આપશે.
જવાબઃ– સવાલમાં લખેલી વિગત મુજબ કે પતિએ હસ્તમૈથુન દ્વારા કાઢેલા જીવાણુંઓ લઈને લેડી ડોકટર તેની પત્નીના રહમમાં દાખલ કરે. અવલાદ પ્રાપ્ત કરવા માટે પતિ પત્નીને આ રીત વચ્ચે ત્રીજી વ્યકિતને (લેડી ડોકટરને) કાર્યમાં શામેલ કરવો એ નાજાઈઝ અને હરામ છે. અલબત્ત, જો આ તરીકો અપનાવવામાં પતિ – પત્ની કોઈ પણ ત્રીજી વ્યકિતને કાર્યવાહીમાં શામિલ ન કરે, બલ્કે પૂરી કાર્યવાહી ફકત પતિ – પત્ની બન્નેવ મળીને જ પૂરી કરી લે અને માત્ર પતિ – પત્નીના વિર્ય પર જ આધાર રાખવામાં આવે સાથે બીજા કોઈ પુરુષનું વિર્ય ન મિલાવવામાં આવે તો આ સૂરત ઈખ્તિયાર કરવાની ગુંજાઈશ છે. (જવાહિરુલ ફતાવા ભા. ૧)
Log in or Register to save this content for later.