[૩ર૬] નિકાહ પઢાવવાનો ઈમામનો હક નથી

Chapter : નિકાહ

(Page : 377)

સવાલઃ– એક ગામમાં મુસ્લિમ ભાઈને ત્યાં છોકરીની શાદી હતી, હવે એ છોકરીના બાપના પીર બીજા ગામથી આવ્યા તો છોકરીના બાપને ઉમ્મીદ હતી કે પીર નિકાહ પઢાવશે, જયારે ગામના પેશ ઈમામથી નિકાહ પઢાવવાની રજા માંગી તો તેમણે રજા ન આપી કે હું પોતે પઢાવીશ, તો પેશ ઈમામે રજા  આપવી જરૂરી છે કે નહિ ? કારણ કે તે પીર સાહેબ સૈયદ અને ઉમરમાં મોટા હતા.

જવાબઃ– નિકાહ પઢાવવાનો હક ઈમામ સાહેબ માટે નકકી નથી, માટે તેઓથી રજા લેવી જરૂરી નથી, છોકરીના બાપને ઈખ્તિયાર છે કે જેની પાસે નિકાહ પઢાવવા ચાહે પઢાવી  શકે છે.  ( ઈ.ફતાવા : ભા – ૩)

Log in or Register to save this content for later.