[૪૯૯] મસબૂક ઈમામ સાથે કુનૂત પઢયા પછી છૂટેલી રકાતમાં કુનૂત ન પઢે

Chapter : નમાઝ

(Page : 508)

સવાલ : એક માણસ રમઝાનમાં વિત્રની નમાઝમાં ઈમામ સાથે બીજી રકાતમાં શામેલ થયો. ઈમામે પોતાની ત્રીજી રકાતમાં તકબીર કહી દુઆએ કુનૂત પઢી લીધી અને બીજી રકાતમાં શામેલ થનાર મુકતદીએ પણ દુઆએ કુનૂત પઢી લીધી. પરંતુ દુઆએ કુનૂતવાળી રકાત મુકતદીની બીજી રકાત છે તો હવે સવાલ એ છે કે ઈમામની સલામ બાદ મજકૂર મુકતદી પોતાની ત્રીજી રકાત પઢવા ઉભો થાય ત્યારે તેણે તકબીર કહી દુઆએ કુનૂત પઢવી પડશે કે નહિં ?

જવાબ : મજકૂર મુકતદીએ ઈમામ સાથેની વિત્રની ત્રીજી રકાતમાં એક વાર દુઆએ કુનૂત પઢી લીધી છે એટલે હવે પોતાની છૂટેલી રકાત પઢવા ઊભો થાય ત્યારે દુઆએ કુનૂત ન પઢે. કારણકે છૂટેલી રકાત કિરાઅત અને કિરાઅત સમાન બીજી વસ્તુઓમાં મજકૂર મસબૂક મુકતદીની પહેલી રકાત ગણાય છે. અને ઈમામ સાથે પઢેલી છેલ્લી રકાત એની ત્રીજી રકાત ગણાય છે. ચાહે કઅ્‌દહની રૂએ એથી ઉલટી તરતીબ માનવામાં આવે છે. (‘શર્હે મુન્યહ ૪ર૧)

Log in or Register to save this content for later.