[૪૯૭] મય્‌મનહ્‌ની જગ્યાએ મશ્‌અમહ્‌ પઢવું

Chapter : નમાઝ

(Page : 505-506)

સવાલ :– ઈમામ સાહેબ નમાઝમાં ભૂલથી ‘‘સૂરએ બલદમાં ઉલાઈક અસ્હાબુલ્‌ મય્‌મનહ્‌ ની જગ્યાએ અસ્હાબુલ્‌ મશ્‌અમહ્‌ પઢયા તો નમાઝ સહીહ થશે કે ફાસિદ ? અગર ફાસિદ થઈ હોય તો કેમ ? અને કઝા જમાઅત સાથે કરવી પડશે કે અલગ અલગ તોર પર પઢી લેશે તો ચાલશે ?

જવાબ :– જો ઈમામ સાહેબે ઉલાઈક અસ્હાબુલ્‌ મશ્‌અમહ્‌ પઢતા પહેલાં વતવાસવ્‌ બિલ્‌ મર્હમહ્‌ પર વકફે તામ કર્યો હતો તો નમાઝ ફાસિદ થયેલી નહિં ગણાય અને જો બિલ્‌ મર્હમહ્‌ ઉપર વકફે તામ કર્યા વગર મિલાવીને ઉલાઈક અસ્હાબુલ્‌ મશ્‌અમહ્‌ પઢયા હોય તો નમાઝ ફાસિદ થઈ જશે અને ફરી પઢવી પડશે અને કઝા થઈ ગઈ હોય તો જમાઅતથી પણ પઢી શકાય છે અને અલગ અલગ પણ પઢી શકાય છે.  (શર્હે મુન્યહ : ૪૮૭)

Log in or Register to save this content for later.