Chapter : નમાઝ
(Page : 500)
સવાલ :– (૧) નમાઝના એક રૂકનમાં ત્રણ અથવા ત્રણથી વધુ વાર ખંજવાળવાથી નમાઝ અદા થશે કે કેમ ?
જવાબ :– (૧) જો કોઈ નમાઝીએ નમાઝના એક રૂકનમાં ત્રણ અથવા ત્રણથી વધુ વાર એવી રીતે ખંજવાળયું કે દરેક વખતે હાથ ઉઠાવીને પછી મૂકયો તો તેવી નમાઝ ફાસિદ થઈ જશે અને ત્રણ વારથી ઓછું ખંજવાળયું અથવા ત્રણ વાર લગાતાર ન ખંજવાળયું બલકે એકવાર ખંજવાળયા પછી થોડીવાર પછી ફરી ખંજવાળયું અથવા ખંજવાળવા માટે હાથ મૂકીને વચ્ચે હાથ ઉઠાવ્યા વગર ત્રણ કે વધુ વાર ખંજવાળયું તો આ સૂરતોમાં તેમની નમાઝ ફાસિદ નહિ થાય.
(શામી –૧/૪ર૦, બહર – ર/૧ર, કબીરી – ૩૮૭ દેવબંદ પ્રકાશિત તહતાવી કમ મરાકી–૧૭૭)
Log in or Register to save this content for later.