Chapter : નમાઝ
(Page : 493)
સવાલ :– મસ્જિદમાં નમાઝ માટે આવતા અમૂક લોકો પાસે નમાઝના સમયે ટોપી હોતી નથી તો મસ્જિદમાં મુકેલી કાપડની ટોપી પહેરી શકાય? આવા નમાઝીઓ માટે પોતાની ખૂશીથી કપડાની ટોપી મૂકી શકાય? કારણ કે અમૂક નવજવાનોમાં નમાઝ પઢવાનો શોક હોય છે, પરંતુ મસ્જિદમાં ખુલ્લા માથે આવી જાય છે અને ટોપી ન મળતાં ટોપીનું બહાનું કાઢી નમાઝ છોડી દે છે, તો આવા નમાઝીઓ માટે કપડાની ટોપી મૂકી શકાય ? અને મુકેલ ટોપીથી નમાઝ થઈ જશે?
જવાબ :– નમાઝના સહીહ થવા માટે ટોપી શર્ત અને ફર્ઝ નથી, માટે ટોપી ન હોવાના કારણે નમાઝ છોડવી જાઈઝ નથી, મસ્જિદમાં નમાઝીઓ માટે મૂકેલી વકફ ટોપીઓનો ઉપયોગ કરવો અને તે મૂકીને નમાઝ પઢવી જાઈઝ છે. અને મસ્જિદમાં ટોપીઓ મૂકવી જાઈઝ છે. પરંતુ વ્યવસ્થિત રીતે મુકવી જોઈએ, તેની સફાઈ રાખવી જોઈએ, અલબત્ત, મસ્જિદની વકફ રકમથી નમાઝીઓ માટે ટોપીઓ ખરીદવી જાઈઝ નથી. (શામી – ૧ / ૩)
Log in or Register to save this content for later.