[૪૮પ] સજદહમાં જવાની અને ઉઠવાની તકબીર ખેંચવી

Chapter : નમાઝ

(Page : 497)

સવાલ :– નમાઝમાં જયારે રુકૂઅથી ઉભા થવા બાદ કિયામ કરી સજદહમાં જવા માટે તકબીર એટલે અલ્લાહુ અકબર કહે છે તો અલ્લાહુ અકબરમાં અલ્લાહના ”લામ”ને એટલો ખેંચે છે કે કિયામથી લઈ સજદહમાં જવા પછી અકબર બોલે છે, એવી જ રીતે સજદહમાંથી કિયામ દરમિયાન એટલું જ ખેંચે છે જેમકે (અલ્લા…………હુ અકબર) એક કારી સાહેબે પણ એવણને કહયું હતું કે આટલી બધી રીતે ના ખેંચાય. તો શું આ બાબત બરાબર છે.

જવાબ :– કવમહથી સજદહમાં જતી વખતે તકબીર કહેવાનો સુન્નત તરીકો આ છે કે જયારે સજદહમાં પહોંચી જાય તો તકબીર પુરી થઈ જવી જોઈએ. અને અલ્લાહના ”લામ”માં ખૂબ મદ કરવું પણ દુરૂસ્ત નથી, બલકે મકરૂહ છે. માટે સવાલમાં લખ્યા મુજબ અલ્લાહના લામ માં મદ કરી સજદહમાં જવું એ મકરૂહ અને સુન્નત વિરૂધ્ધ છે. ઈમામ સાહેબે મજકૂર આદત છોડી સુન્નત મુજબ નમાઝ પઢાવવી જોઈએ, નહિ તો તેઓ ઈમામતના લાયક નહિ ગણાય.(શામી –૧/૩ર૩)

Log in or Register to save this content for later.