[૪૭૮] ખારકુવાના સ્લેબ પર નમાઝ

Chapter : નમાઝ

(Page : 492)

સવાલ :– અમારા ઘરમાં સંડાસ બનાવ્યું છે, અને ખારકૂવો પાકો બનાવી બંધ કરી ઉપર પત્થર બેસાડી આપ્યા છે, હવે ઘરના લોકો તે ખારકૂવા પર મુસલ્લો બિછાવી નમાઝ પઢે છે અને સામે સંડાસની કેબીન છે તો શું આ સૂરતમાં નમાઝ પઢવાથી નમાઝ થઈ જશે કે કેમ?

જવાબ :– ખારકૂવાના સ્લેબ અને ધાબા પર નમાઝ પઢવી મકરૂહ છે. માટે ત્યાં નમાઝ ન પઢવી જોઈએ. અલબત્ત, અત્યાર સુધી પઢેલી નમાઝો જાઈઝ હતી, માટે તે દોહરાવી જરૂરી નથી. (શામી – ૧/રપપ)

Log in or Register to save this content for later.