Chapter : નમાઝ
(Page : 484)
સવાલ :– આજકાલ આપણા મુસલમાનો હજ માટે મકકા શરીફ જાય છે, મકકા શરીફથી પોતાની મોહલ્લાની મસ્જિદ માટે મુસલ્લો તેમજ મિમ્બર પર બિછાવવા માટે એક મુસલ્લા જેવું કપડું લાવે છે, જેમાં બયતુલ્લાહ શરીફ તેમજ મસ્જિદે નબવી શરીફની તસ્વીર હોય છે, જુમ્અહના દિવસે એ કપડું મિમ્બર પર બિછાવવામાં આવે છે, જયારે ઈમામ સાહેબ ખુત્બહ માટે મિમ્બર પર જાય છે તો ઈમામ સાહેબના પગ એ તસ્વીર પર પડે છે અથવા એ તસ્વીરો પર બેસવાનુ થાય છે, તો આવુ કપડું બિછાવવું જાઈઝ છે કે નહિં ? એનાથી તસ્વીરોની બે અદબી થશે કે નહિ?
જવાબ :– બયતુલ્લાહ શરીફ અને મસ્જિદ નબવીના ફોટાનો હુકમ અદબ અને તઅઝીમની દ્રષ્ટિએ બયતુલ્લાહ અને મસ્જિદે નબવી જેવો નથી, બયતુલ્લાહ અને મસ્જિદે નબવીમાં હાઈઝા અને જુનુબી માણસ જઈ ન શકે, અને ફોટાને હાથ લગાડી શકે છે, વળી બયતુલ્લાહ અને મસ્જિદે નબવીમાં દાખલ થનાર તેમાં પોતાના પગો મૂકી ચાલે છે, હરેફરે છે, તો શું તેનો ફોટો અસલથી પણ વિશેષ અદબપાત્ર ગણાશે કે તેના ઉપર પગ ન મૂકી શકાય, ખુલાસો આ કે આવા મુસલ્લા અને ચાદર પર પગ મૂકવો અને બેસવું નાજાઈઝ અને બેઅદબી નહિં ગણાય, અલબત્ત આવી નકશા વાળી વસ્તુનું નમાઝીની સામે હોવું બેહતર નથી. (શામી ભાગ– ૧)
Log in or Register to save this content for later.