[૪૭૦] ઈમામે સલામ ફેરવી ખલીફા બનાવ્યો

Chapter : નમાઝ

(Page : 483)

સવાલ :– અમારી મસ્જિદના પેશ ઈમામ સાહેબ ઈશાની નમાઝ પઢાવી રહયા હતા, બીજી રકઅતના બીજા સજદહમાં ઈમામ સાહેબનું વુઝૂ તૂટી ગયું, ઈમામ સાહેબે બન્ને બાજુ સલામ ફેરવી દીધી, ત્યાર પછી ઈમામ સાહેબે પાછળના એક મુકતદીને હાથ પકડીને ખલીફા બનાવ્યા, તે ખલીફાએ બાકી નમાઝ પૂરી કરાવી, નમાઝ પછી મુકતદીઓ આપસમાં કહેવા લાગ્યા કે નમાઝ થઈ ગઈ. અમુક મુકતદીઓ કહેવા લાગ્યા કે ઈમામ સાહેબે બન્ને તરફ સલામ ફેરવી દીધી એટલે હવે નમાજ લોટાવવી પડશે. તકબીરે તહરીમાથી નમાઝ શરૂ થઈ સલામ પર પૂરી થઈ ગઈ. આપસની વાતનો અંત લાવવા માટે ઈમામ સાહેબે ફરીથી નમાઝ પઢાવી. શરીઅતની રૂએ ખલીફા બનાવવું અને ફરીથી નમાઝ લોટાવવી બરાબર છે?

જવાબ :– જયારે બીજા માણસને ખલીફા બનાવતા પહેલાં ઈમામ સાહેબે સલામ ફેરવી દીધી અને પછી ખલીફા બનાવવા માટે બીજા માણસને હાથ પકડીને આગળ કર્યો તો ઈમામ સાહેબ અને મુકતદીઓની નમાઝ ફાસિદ થઈ ગઈ, એટલે હવે બધાઓએ શરૂથી નવેસરથી નમાઝ પઢવી જરૂરી થઈ ગઈ, માટે ફરીથી નમાજ પઢી લીધી એ બરાબર છે.

(શામી ભાગ–૧/ ૪૦૪)

Log in or Register to save this content for later.