Chapter : નમાઝ
(Page : 481-482)
સવાલ :– નમાઝની હાલતમાં બાંય (આસ્તીન) ન ઉતારવાથી તે નમાઝ લોટાવવી વાજિબ છે ? એક સાહેબે એક ભાઈને ફજરની સુન્નત પઢતા જોયા તેમની બાંય કોણીથી ઉપર હતી, ઉતાવળમાં આસ્તીન ઉતાર્યા વગર સુન્નત પઢી લીધી તો મજકૂર સાહેબે તેમને કહયું કે જે નમાઝ આસ્તીન ઉપર રાખી પઢી હોય તે નમાઝો દોહરાવવી વાજિબ છે અને એ રીતે પઢવી મકરૂહે તહરીમી છે, તો આપ સહીહ માર્ગદર્શન આપશો. (ઘણા નવજવાનો વગર આસ્તીનનું જ શર્ટ પહેરે છે.)
જવાબ :– આસ્તીન ચઢાવીને નમાઝ પઢવી અથવા અડધી આસ્તીનનું કમીસ પહેરીને નમાઝ પઢવી મકરૂહ અને ખિલાફે સુન્નત છે. પરંતુ આ પ્રમાણે પઢેલી નમાઝ દોહરાવવી વાજિબ નથી.(શામી–૧ /૩૦૭,૪૩૦)
Log in or Register to save this content for later.