[૪પ૭] કોઈની જમીનમાં બનાવેલી મસ્જિદમાં નમાઝ

Chapter : નમાઝ

(Page : 474-475)

સવાલ : ઝૈદની જમીન પર પૂરી મસ્જિદ બાંધી દેવામાં આવી છે અને ઝૈદની છોકરીને અમુક ગામના લોકો પૂછે છે કે તમે મસ્જિદમાં જમીન વકફ કરી દીધી છે ? ત્યારે ઝૈદની છોકરી એવો જવાબ આપે છે કે મેં ઈજાઝત આપી નથી અને આપવાની પણ નથી અને કોઈ ઈજાઝત લેવા આવ્યું પણ નથી અને મારી સાથે મારા બાપના કુટુંબના લોકો રાજકારણ રમી ગયા છે, તે હું કદી એમને માફ નહીં કરૂં. એ મસ્જિદમાં હાલ પાંચ વખતની નમાઝ અદા થઈ રહી છે તો શું આ નમાઝ શરઈ રૂએ અદા થશે કે નહિં ?

જવાબ : આવી જગ્યામાં નમાઝ અદા કરવી મકરૂહે તહરીમી છે. મજકૂર જગ્યામાંથી વકફ કરવા ઈચ્છતા વારસદારો અને છોકરીના ભાગો વહેંચી આપવામાં આવે. પછી વકફ કરનારની જગ્યામાં મસ્જિદ તરીકે નમાઝ પઢવામાં આવે તો વિના કરાહતે જાઈઝ છે.  (દૂર્રે મુખ્તાર, શામી : ૧/ર૦૦)

Log in or Register to save this content for later.